SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી વેપાર ખેડવાની આવડતને સમન્વય થયેલ જોવા મળે છે તે ગુણો વત્તેઓછે અંશે તેમના વારસદારોમાં પણ દષ્ટિગોચર થાય છે. વારસાગત રીતે આવા ગુણો તેમનાં સંતાનમાં અને તે પછી પેઢી દર પેઢી તેમના વારસદારેમાં કંઈક અંશે ઊતરી આવ્યા હોય તેમ લાગે છે. અને સાથે સાથે તેમના કુટુંબમાં આ ગુણને પોષણ મળે તેવું વાતાવરણ મળ્યા કર્યું હોય તેમ પણ લાગે છે. કોઈ પણ એક કુટુંબમાં બે-પાંચ પેઢી સુધી સંસ્કાર, પૈસે, વૈભવ, આવડત વગેરે ટકી શક્યો હોય એવાં અનેક ઉદાહરણું કોઈ પણ સમાજમાંથી આપણને મળી શકે, પરંતુ આ વારસો દસ બાર પેઢી સુધી ટકવાનાં ઉદાહરણો ઇતિહાસ ના પાને ખૂબ ઓછાં નેંધાયાં છે. અહીં આપણે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના આ વારસો સાચવનાર ઉજજવળ વારસદારોને ટૂંક પરિચય મેળવીએ. નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પાંચ પુત્રમાંથી નગરશેઠપદની જવાબદારી અદા કરવાનું માન તેમના પુત્ર શ્રી લક્ષ્મીચંદ ભેગવે છે. મોગલ રાજદરબાર સાથે સંબંધ જાળવી રાખવાની અને બહાળે વેપાર ખેડવાની આવડત નગરશેઠ શ્રી લક્ષ્મીચંદને કુટુંબમાંથી જ પ્રાપ્ત થાય છે. આ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પુત્ર અને નગરશેઠ શ્રી લક્ષ્મીચંદના ભાઈ શ્રી માણેકચંદે ઈ. સ. ૧૮૫૭ની સાલમાં તે વખતના ગુજરાતના સૂબા મુરાદબક્ષને રૂ. સાડા પાંચ લાખ ધીર્યા હતા. આ પૈસા પાછા આપવા અંગેનાં ફરમાનેને ઉલ્લેખ આપણે આ જ પુસ્ત. કના પ્રકરણ નં. નવ (“નગશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ')માં ફરમાન નં. ૧૯, ૨૦ અને ૨૧ તરીકે કરી ગયા છીએ. પિતાના ભાઈ માણેકચંદની જેમ નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ પણ વેપાર અને ધીરધાર કરવામાં સક્રિય રહેતા હશે તેને ખ્યાલ આપે તેવા એક ફરમાનને ઉલેખ અહીં ખેંધપાત્ર છે. “જૈન રાસમાળા' પુસ્તક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy