SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ નગશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ઉજજવળ વારસદારે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વને પરિચય આપણે આગળનાં પ્રકરણમાં મેળવ્યું. કેઈ પણ પ્રતિભાસંપન્ન વ્યક્તિ વિષે સામાન્ય માણસને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે તેનાં સંતાને અને વારસદારોમાં તે વ્યક્તિની પ્રતિભાની છાંટ જોવા મળે છે કે નહીં. આ પ્રશ્ન પર અનેક મને વૈજ્ઞાનિક સંશોધને પણ થયાં છે. આપણે અહીંયાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના કેટલાક નેંધપાત્ર વારસદારોને ટૂંક પરિચય મેળવીએ બાબત આવા મનેવૈજ્ઞાનિક સંશોધનની દષ્ટિએ ઉચિત ગણી શકાય. અલબત્ત, અહીંયાં એવા કેઈ સંશોધનને દા નથી. વળી નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ જૈન ધર્મ અને જૈન તીર્થોના વિકાસમાં જે નેધપાત્ર ફાળો આપ્યો છે, જે રાજકીય ફરમાને મેળવ્યાં છે, તે પરંપરાને ટકાવીને તેને વિકસાવવા માટે તેમના કુટુંબમાં તેમના અનુગામી વારસદારે શો ભાગ ભજવે છે, કેવા કેવા પ્રયત્ન કરે છે તે જાણવાની દષ્ટિએ પણ તેમના વારસદારને પરિચય સુસંગત લેખાય - સાથેસાથે તેમને અમદાવાદના નગરશેઠ તરીકેનું જે બિરૂદ મળેલું તે બિરુદ ટકાવીને તેમના કુટુંબના જે સભ્ય તે સ્થાનને શોભાવી ગયા તેમને પરિચય મેળવે ઐતિહાસિક દષ્ટિએ પણ ઉપયોગી લેખાય. અહીંયાં આપણે તેમના વંશજોમાંથી મુખ્યત્વે કરીને અમદાવાદના નગરશેઠના સ્થાને કાર્યશીલ બનેલ વંશજેને પરિચય મેળવીશું અને તે સિવાય નેંધપાત્ર વ્યકિતઓને નામે લેખ કરીશું. આ પરિચય મેળવતાં પહેલાં એ વાતની સહર્ષ નેંધ લઈએ કે નગરશેઠ શ્રી શાતિદાસ ઝવેરીમાં જે ક્ષાત્રતેજ, રાજબીજ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy