________________
૧૭૮
નગરશેઠ શાંતિદાસ ઝવેરી પર અને મહાજનપદ મેળવીને તેને યોગ્ય રીતે નિભાવી પણ શક્યા. બાદશાહ ઔરંગઝેબ ઈ. સ. ૧૯૫૮માં રાજગાદીએ આવ્યા ત્યારે અવ્યવસ્થા અને અંધાધૂધીના સમયમાં તેઓ પ્રજાને શાંતિસંદેશ એક ફરમાનના રૂપમાં, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને અત્યંત વિશ્વાસુ વ્યક્તિ ગણી, તેમને સંદેશવાહક દૂત બનાવીને તેમના દ્વારા જ ગુજરાતની પ્રજાને મેકલાવે છે. એ હકીકત નેંધપાત્ર છે કે એક વખત જે બાદશાહ શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ દેરાસરને ભ્રષ્ટ કરે છે તે જ બાદશાહ ઔરંગઝેબ તેમને જ શાંતિનો સંદેશવાહક દૂત બનાવે છે. ધર્મઝનૂની કહેવાતા બાદશાહને વિશ્વાસ તેઓ સંપાદન કરી શક્યા હતા તેને આ ફરમાન પુરાવે છે
, તેમના વ્યક્તિત્વમાં જોવા મળતું સામાજિક પાસુ
તેમના આ રાજકીય પાસાને વિચાર કરતાં આપણને એ નિઃસંદેહ જણાય છે કે તેઓ રાજા અને પ્રજા બંને સાથે ઘનિષ્ઠ સંબંધ સ્થાપી શક્યા હતા. અને આ દષ્ટિએ જોઈએ તે તેમના વ્યક્તિત્વના રાજકીય પાસાની સાથે સાથે જ સામાજિક પાસાને પણ એટલો જ વિકાસ થયો હતે. નગરશેઠપદ અને મહાજનપદ તેમના આ સામાજિક પાસાને નિર્દેશ કરવા માટે પૂરતાં છે. પિતાના સમાજના પ્રશ્નો જાણીને તેને નિવેડો લાવવા માટે નગરશેઠ
શ્રી શાંતિદાસ ઝવેરીની હવેલીનાં દ્વાર બધાને માટે હંમેશાં ખુલ્લાં રહેતાં. મહાજનના અગ્રેસર તરીકે તેઓ સમાજના – ખાસ કરીને જૈન સમાજનાં –-નાના મોટા પ્રશ્નોથી સજાગ રહીને તેવા પ્રશ્નોનો નિવેડે લાવવા માટે પણ પ્રયત્નશીલ રહેતા.
સમાજની આમજનતા પણ ધાર્મિક સત્કાર્યોમાં જોડાઈને પિતાની ધર્મભાવના વિકસાવી શકે તે માટે તેઓ ગમે તેટલે ખર્ચ કરતાં પણ અચકાતા નહીં. ઈ. સ. ૧૬૧૮ની સાલમાં તેમણે પાલીતાણાને સજા પૂરી વ્યવસ્થા, પૂરે બંદોબસ્ત અને પૂરતાં સાધને સાથે કાઢયો હતે તે હકીકત આની સાક્ષી પૂરે છે. આ સંઘમાં તે સમયે પંદર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org