SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસ નહીં હોય એમ લાગે છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના મોટા ભાઈ વર્ધમાનને છે પુત્રો હેવાનું કહેવાય છે એમ શ્રી કેમિસેરિયેટ જણાવે છે. નગરશેઠ શ્રી શાંતિદાસના આ પાંચ પુત્રોમાંથી લક્ષ્મીચંદ આગળ જતાં ખૂબ બહેશ નીવડ્યા અને પિતાના પિતાના નગરશેઠપદને એમણે સંભાળ્યું તેમ જ તે પદને સારી રીતે ભાવ્યું પણ ખરું. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના અંગત જીવન વિષે કે તેમના કુટુંબ વિષે આ સિવાય કઈ ખાન નેંધપાત્ર હકીકત અત્યારે આપણને ને પ્રાપ્ત થતી નથી એ અફસોસની વાત છે. તેમના સ્વર્ગવાસનો સમય ' - જેમ તેમના જીવન વિષે આપણને અપૂરતી માહિતી મળે છે તેમ તેમને સ્વર્ગવાસ ક્યારે થશે તે વિષે પણ અત્યારે તે આપણને અપૂરતી માહિતી જ મળે છે. તેમના સ્વર્ગવાસના સમય સંબંધી ફક્ત એક જ સ્પષ્ટ ઉલેબ આ પણને “શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણરાસમાં આ રીતે મળે છે – “સંવત સતરસિ વરસ પનોત્તરિ, અહ્મારઈ પ્રાણ આધાર; સાહ શાંતિદાસ રે સુરકિ બ, તિહાં અહ્યો જાવું નિરધાર.” – ઢાળ ૯, કડી ૯ અર્થાત્ “અમારા પ્રાણના આધાર સમા શાહ શાંતિદાસ સંવત ૧૭૧પમાં સ્વર્ગે ગયા છે ( અર્થાત્ મૃત્યુ પામ્યા છે), ત્યાં અમારે (રાજસાગરસૂરિએ) નક્કી જાવું છે.” - શ્રી રાજસાગરસૂરિ, કે જેઓ શ્રી શાંતિદાસ શેઠના ગુરુ હતા, જેમને સૂરિપદ અપાવવામાં શ્રી શાંતિદાસ શેઠે અશ્ચિમ ભાગ ભજવ્યું હતું અને જેમણે સાગરગછિની સ્થાપના કરી હતી, તેઓ પિતાના જીવનને સંકેલી લેતાં ચારે આહારને ત્યાગ કરી અણસણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy