________________
શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસ
૧૬૫ નાર વ્યક્તિ તરીકે તેઓને ત્યાં આવે ઠાઠમાઠ રહેતે હશે એ સહેજે માની શકાય તેમ છે. આ ઠાઠમાઠ એમને પિતાના મેભાને કારણે અને ચાલુ શિરસ્તા પ્રમાણે રાખવું પડતું હશે એમ આપણે કહી શકીએ. અંગત જીવન
એમનું અંગત જીવન તે ધમરાધના, જૈન શાસનની રક્ષા અને વૃદ્ધિ થાય તેવાં તીર્થરક્ષા અને સંઘહિતને લગતાં કાર્યોમાં અને સામાન્ય પ્રજાના હિતને લગતી પ્રવૃત્તિઓમાં જ મોટે ભાગે વીતતું હતું. તેમની આવી બધી પ્રવૃત્તિઓને ચિતાર આપતાં શ્રીયુત ડુંગરશીભાઈ ગ્ય જ જણાવે છે – . “શાંતિદાસ શેઠની હૈયાતીમાં જ એના પુત્રો વહીવટ કરતા હતા; જ્યારે તેઓ માત્ર કઈ ધાર્મિક હિતનું રાજ્ય દ્વારી કામ હોય તે જ સલાહ દેવા સિવાય બધે વખત પૂજાપાઠ, ધ્યાન, સ્મરણ અને વ્યાખ્યાન-વાણું સાંભળવા(દેવ-ગુરુભક્તિ)માં પસાર કરતા હતા. એમના મોટા ભાઈ અલગ થઈ ગુજરી જવાથી તેના પુત્રોની પણ અલગ પેઢીઓ ચાલતી હતી. આ રીતે શાંતિદાસને છોકરાને ઘરે છોકરાં એટલે પૌત્ર-પરિવાર બહાળે અને સુખી હતું. એમની દોલત હવે કરડેની ગણાતી હતી. એમણે પિતાના હાથે ખૂબ દાન કર્યું, મંદિર બંધાવ્યાં, સંઘે કાઢવ્યા હતા અને સાધુઓની સેવા કરી હતી, એટલું જ નહિ. પણ દુકાળીઆઓને નિભાવ્યા હતા. પાંજરાપોળ સ્થાપી હતી. મહાજનમાં તેઓ અપદે હતા. પાલીતાણું અને ગિર. નારનાં મંદિરને વહીવટ પણ તેમણે સંભાળેલ.”
- નગરશેઠ શ્રી શાંતિદાસ જીવનની સંધ્યાટાણે પિતાના બહોળા પરિવાર તથા અઢળક સંપત્તિ વચ્ચે, ધર્મકાર્યો કરતાં કરતાં શાંતિપૂર્વક જીવન ગુજારતા હશે એવું આહલાદકારી ચિત્ર આ વર્ણન ઉપરથી જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org