SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી - શુકેહને બદલે રાજકુમાર ઔરંગઝેબનું ઉમદા નિશાન જોવા મળે છે. આ હકીક્ત ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર છે. રર. શાહજહાં બાદશાહને તેના મયૂરાસન માટે પણ ઝવેરી શાંતિદાસે અલભ્ય • રત્ન મેળવી આપ્યાં હતાં એ દર્શાવતાં “પ્રપૂમાં પૃ૦ ક૬ ઉપર શ્રી ડુંગર શીભાઈ સંપટ જણાવે છે : “શાહજહાં પાદશાહ બહુ શેખીન હતે. ઊંચા ઝવેરાતને એને ભારે શોખ હતો. એણે છ કરોડ રૂપિયાના ખર્ચે મયુરાસન નામનું સિંહાસન પિતાને માટે બનાવરાવ્યું હતું. મેરની મેરપીછીઓમાં અતિશ્રેષ્ઠ રને આખા હિંદમાંથી એણે ભેગાં કરાવીને ગોઠવ્યાં હતાં. શાંતિદાસ ઝવેરીએ બાદશાહને ઘણાં રને ભેગાં કરી આપ્યાં હતાં. આથી પાદશાહની એના ઉપર મહેરબાની શતરી હતી.” ૨૩. આ ફરમાનના સમય અંગે શ્રી કેમિસેરિયેટ “IMFG માં p. 30 ઉપર કરનેટમાં જે અટકળ કરે છે તે જોઈએ તે આ ફરમાનમાં અસકખાનને ઉલ્લેખ આવે છે. જહાંગીરના રાજ્યમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરનાર બે અસફખાન થઈ ગયા, કે જે બેમાંથી એક ય આ ફરમાનમાં રજૂ કરવામાં આવેલ “નિઝામ-ઉદ્-દીન’ વિશેષણ ધરાવતા હોય એવું ક્યાંય સેંધાયું નથી. આ બેમાં મેટ અસફખાન તે મીરઝા-કીવામ-ઉદ-દીન જફર બેગ અસફખાન કે જે અકબરના હાથ નીચે ઘણી ઊંચી પદવી મેળવ્યા બાદ જહાંગીરના રાજ્યમાં તેના (જહાંગીરના) હાથ નીચે વકીલ (અથવા પ્રાઈમ મિનિસ્ટર) બન્યા હતા અને તે જહાંગીરના રાજ્યના સાતમા વર્ષે ઈ. સ. ૧૬૧૨ માં મૃત્યુ પામ્યા હતા. બીજો અસફખાન તે વધુ પ્રખ્યાત મીઝ અબુલ હસન અસફખાન, કે જે બેગમ નૂરજહાંને ભાઈ હતે. તે પણ જહાંગીરના રાજયમાં થોડા સમય માટે ઈ. સ. ૧૬૨૬ માં, અને ત્યાર પછી શાહજહાંના સમયમાં ૧૪ વર્ષ માટે બાદશાહને વકીલ હતું. તે રાજકુમાર શાહજહાંના લાભાથે જ કામ કરતે હેવાથી તેની બહેને (નૂરજહાંએ) તેના પર અવિશ્વાસ કરેલે. એ શક્ય છે કે આ ફર. માન દ્વારા શાંતિદાસને મોટા અસફખાનના આશ્રય નીચે મૂકવામાં આવ્યા હોય. અને જે તેમ હોય છે, તે અસફખાન ઈ. સ. ૧૬૧૨ માં મૃત્યુ પામે હોવાની હકીકતને આધારે આ ફરમાન મોડામાં મોડું ઈ. સ. ૧૬૧૨ માં અપાયું હોય એવી અટકળ કરી શકાય. અને જે બીજા અસફખાનના સમયમાં તે અપાયું હોય તે તે ઈ. સ. ૧૬૨૬ સુધીમાં અપાયું હોય. ૨૪. શ્રી કૃષ્ણલાલ મેઝવેરી “SFSJ' નામે લેખમાં આ જ પ્રકારનો મત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy