________________
૧૫૦
નગરશેઠ શાંતિદાસ ઝવેરી
!
મદદ જાણીતી હતી. ઔરગઝેબે એને સારા પાષાક આપ્યું. અને ગુજરાત તથા અમદાવાદના લેાક તથા વેપારી શાહુકાર વગેરે માટે ખુશાલીનું બાદશાહી ફરમાન લખી શાંતિદાસ સાથે અમદાવાદ મેકલ્યું. આ ફરમાનમાં ઔરંગઝેબે અમદાવાદના વેપારીએ ઉપર સંદેશે મેકલ્યા હતા કે સવ પ્રજા રાજીખુશીથી ભિન્નભાવ રાખ્યા વગર સલાહસંપથી પેાતાના વ્યવહાર ચલાવે' વગેરે વગેરે.”૩૨
જે ઔર'ગઝેબને ઈશ્વરમાં, ધમાં, માનવકલ્યાણમાં આટલે ઊંડો રસ હતા કે જેથી તે ક્માન જેવી ઔપચારિક ખાખતમાં પણ ઈશ્વરના આટલી ભાવુકતાથી ઉલ્લેખ કરે છે, તે ઔરંગઝેમમાં એક માત્ર ઈસ્લામનું ઝનૂન જો ન હ।ત તા તે ખરેખર એક મહાન રાજવી બની શકો હાત. અને એમ થયું હેત તા, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર ના પ્રકરણમાં જે બનાવની સખેદ નોંધ લેવી પડી છે તે ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરના વિનાશના પ્રસ`ગ પણ ન બન્યા હાત!
6
વિચક્ષણ ધનિષ્ઠ શ્રાવક શ્રી શાંતિદ્યાસ રોડ
એ વાત બાજુએ રાખીએ તેા યે જીવનના આરે પહેાંચેલા વૃદ્ધ વેપારી, અવેરી, નગરશેઠ, સંઘપતિ શ્રી શાંતિદાસ પોતાની સેવાઓ અને કાર્યાંના બદલામાં, ઔર'ગઝેબ જેવા બાદશાડુ, કે જેણે આશરે દોઢેક દાયકા પહેલાં જ મુત્તુ શ્રેષ્ઠી શાંતિદ્યાસે બધાવેલ દેરાસરના વિનાશ કરેલા તેની પાસેથી પણ કેવાં ઉચ્ચ માન અને આદર પ્રાપ્ત કર્યાં હતાં, તે ખાખત આ ફરમાનથી સ્પષ્ટ થાય છે. કમરના દરખારમાં શાંતિદાસ શેઠે આગળ પડતા ભાગ ભજન્મ્યા હતા એ બાબત સિદ્ધ કરવા વધારે પુરાવાની જરૂર ગણી શકાય, પરંતુ તે પછીના ત્રણે મેાગલ શહેનશાહેા — જહાંગીર, શાહેજહાં અને ઔર'ગઝેબની કુપા તેમણે પ્રાપ્ત કરી હતી તે હકીકત, એનું સૂચન કરતાં ફરમાના આજે પણ હયાત હાઈ, નિઃશંકપણે સિદ્ધ થાય છે. જુદા જુદા બાદશાહેાના જુદી જુદી જાતના સ્વભાવ, ગમા-અણુગમા તથા સાગાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org