SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧૪૯ અમદાવાદના પ્રદેશના અગત્યની બાબતેને લગતા વર્તમાન અને ભવિષ્યના મુત્સદ્દીઓએ ઉપર દર્શાવેલ વ્યક્તિ (શાંતિદાસ) પ્રત્યે, તે રાજદરબાર, કે જે જગતનું આશ્રયસ્થાન છે, તેને જૂનો સેવક છે એટલે, સાર વર્તાવ રાખવે. તેઓએ રાજદરબારને લગતી તેની આર્થિક બાબતમાં મદદ કરવી અને એ ખાસ ધ્યાનમાં રાખવું કે કે તે વ્યક્તિ (શાંતિદાસ) અને તે જગ્યાના બીજા રહેવાસીઓની બાબતમાં દખલ કરે નહીં, કે અવરોધે ઊભા કરે નહીં. મુત્સદ્દીએએ આ ફરમાનને અગત્યનું ગણવું અને આ હુકમની અવગણના કરવાથી દૂર રહેવું.” ઔરંગઝેબની ઈશ્વરપરાયણતા જેમાં સ્થળે સ્થળે ઈશ્વરને ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એવા આ ફરમાન ઉપર સિક્કો પણ ઈશ્વરના નામને જ લગાવવામાં આવ્યા છે. મહેરમાં “મુહમ્મદ ઔરંગઝેબ બહાદુર શાહે ગાઝી” એ પ્રમાણે લખાણ છે અને સિક્કો “ઈશ્વર મહાન છે. મહમ્મદ ઔરંગઝેબ બહાદુર ગાઝી, સાહીબ કુરાને-સાનીને પુત્ર” એ શબ્દને લગાવવામાં આવ્યો છે. આ ફરમાનને “મિરાતે અહમદી'મથિી પણ સમર્થન મળે છે. આ ફરમાનમાંની મુખ્ય બાબત ઉપરાંત તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીને માનને ઉમદા પોષાક આપે હતે. ઔરંગઝેબની ઈશ્વર-આસ્થાને સ્વીકાર કરતાં “મિરાતે અહમદીના ઇતિહાસકાર એમ પણ જણાવે છે કે રાજા ઔરંગઝેબની મહત્વાકાંક્ષા હંમેશા પયગંબરના પવિત્ર નિયમને અનુસરવાની અને અનૈતિક, નિષેધક આનંદને અવગણવાની જ હતી. રાજ્યમાં થતાં ટાં કામોને રેકવા માટે તેણે અમુક માણસની નિમણુક પણ કરી હતી.૩૧ શ્રી રત્નમણિરાવ ભીમરાવ આ પ્રસંગની નેંધ લેતાં લખે છેઃ “શાંતિદાસ ઝવેરી એ વખતે હઝરમાં હતું અને એણે કરેલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy