SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ મગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧૪૭ આવ્યું છે : “જેને રાજા તરફથી માન મળ્યું છે તે સેવકોમાં અગ્રણી શાંતિદાસ, કે જેને પિતાના માદરેવતન અમદાવાદ પાછાં જવાની રજા આપવામાં આવે છે, તેણે અમારા ધ્યાનમાં એ હકીકત આણી છે, કે મુરાદબક્ષે અમદાવાદ ખાતે પાંચ લાખ પચાસહજારની લોન લીધી છે, જેમાંથી શાંતિદાસના પુત્ર માણેકચંદ અને શાંતિ. દાસના ભાગીદાર રખીદાસની પાસેથી મળીને રૂ. ૪,૬૨,૦૦૦ અને તેના – શાંતિદાસના – સંબંધીઓ પાસેથી રૂા. ૮૦,૦૦૦૩૦ લીધા છે. શાંતિદાસ આ અંગે ચિંતા સેવે છે. “અમારી મહેરબાની અને ઉદારતાના કારણે અમે શાહી તિજોરીમાંથી ઉપર દર્શાવેલ વ્યક્તિ (શાંતિદાસ)ને એક લાખ રૂપિયા મંજૂર કરી આપીએ છીએ અને આ જ મતલબનું ફરમાન શાહનવાઝખાનને એકલીએ છીએ. ઉપર દર્શાવેલ વ્યક્તિને (શાંતિદાસને) આ રકમ જરા પણ વિલંબ અને ખચકાટ વગર આપવી, કે જેને ઉપયોગ કરીને તે પિતાને ધંધે ચલાવી શકે અને નફે કમાઈ શકે. આ બાબતને ખૂબ તાકીદની ગણવી.” પિતાની લાગવગના જોરે, અને પિતાની સતત પ્રત્યક્ષ હાજરીના પ્રતાપે શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિદાસ પિતાના પુત્ર, ભાગીદાર અને સંબંધીના પૈસા પાછા મેળવવા અંગે આવું ફરમાન મેળવી શકે તે સમજી શકાય તેવી બાબત છે. પણ શ્રી શાંતિદાસ શેઠે ઔરંગઝેબ પાસેથી આ જ દિવસે બીજું જે ફરમાન મેળવ્યું હતું, તે ઔરંગઝેબ જેવા રાજવીને કેવો અતૂટ વિશ્વાસ તેમણે પ્રાપ્ત કર્યો હશે તે હકીકતને સૂચન કરી જાય છે. કરમાન નં. ૨૨ : અમદાવાદ પાછા જઈને પ્રજાને સંદેશ આપવા અંગે - લાંબા સમય સુધી ચાલુ રહેલી રાજકીય તંગ સ્થિતિથી ગુજરાત. ની અને બીજા પ્રદેશની પ્રજાને જે હાલાકી ભોગવવી પડી હશે તેને રગઝેબને ખ્યાલ હતું. તેથી તે નગરશેઠ શ્રી શાંતિદાસને માત્ર પિતાના માદરેવતન અમદાવાદ પાછા જવાની આજ્ઞા આપીને જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy