________________
બગસ્થ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ફરમાનેને ઉલ્લેખ કરીને પૂરી કરીશું. ડાંક સમય માટે ગુજરાતના બાદશાહ બની બેઠેલ મુરાદબક્ષે ગુજરાતના વેપારીઓ પાસેથી પિતાના લશ્કરના ખર્ચ અને વ્યવસ્થાને પહોંચી વળવા માટે, લગભગ રૂ. ૫૦ લાખ ઉઘરાવ્યા હતા. આ પચાસ લાખ રૂપિયાની રકમ સાચી છે કે પછી કલ્પનાથી વધુ કહેવામાં આવી છે તે તે જાણું શકાતું નથી, પણ સાડા દસ લાખ રૂપિયાને તે, સૂરતના વેપારીઓ અને અમદાવાદના શ્રી માણેકચંદ વગેરેને અપાયેલ ફરમાનમાં ચોક્કસ ઉલ્લેખ છે.૨૫
સૂરતના વેપારીઓ વતી હાજી મહમ્મદ ઝહીદ બેગ અને વીરજી વોરા –એ બે નામાંકિત અગ્રણી વેપારીઓ પાસેથી બળજબરીથી લેનરૂપે મુરાદબક્ષે પાંચ લાખ ઉઘરાવ્યા હતા અને તે ભરપાઈ કરવા અંગેનું ફરમાન પણ મુરાદબક્ષે આ વેપારીઓને આપ્યું હતું. તે જ રીતે મુરાદબક્ષે અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પુત્ર માણેકચંદ અને બીજાઓ પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા
નરૂપે લીધા હતા. તે રકમ ભરપાઈ કરવા અંગે મુરાદબક્ષે જે ફરમાને આપ્યાં હતાં તે જોઈ એ. - પાલીતાણા તીર્થ અંગેનાં ચાર ફરમાનેની (ફરમાન નં. ૪ થી ૭ની ચર્ચા વખતે નિદેશેલ તે સમયના પલટાતા જતા રાજકીય તખ્તાને આપણે સાડા પાંચ લાખ રૂપિયા અંગેનાં ફરમાનેની આ ચર્ચામાં પણ ધ્યાનમાં રાખવો પડશે. રાજસત્તા મેળવવાના લેભમાં પિતાના ભાઈ ઔરંગઝેબની કપટજાળમાં મુરાદબક્ષ બંધાતે જવા છતાં છેક સુધી એ અંગે અજ્ઞાત જ હતો એને આ ફરમાને પુરાવો આપે છે. ઔરંગઝેબના હાથ નીચે કેદી બનવાના ચાર જ દિવસ અગાઉ, ઔરંગઝેબના કહેવાથી, રાજસત્તા મળવાના લેભમાં ભાન ભૂલી બેઠેલા મુરાદબક્ષે અમદાવાદના જાણીતાં વેપારી શેઠ શાંતિદાસના પુત્ર માણેકચંદ અને બીજા વેપારીઓ પાસેથી લીધેલા સાડા પાંચ લાખ રૂપિયા અએ જે બે ફરમાને આપ્યાં હતાં, તે બંને ફરમાને ૨૨મી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org