________________
૧૪૨
નગશેઠ શાંતિદાસ ઝવેરી કીએ. અમદાવાદમાં રહેતી જેનેની લંકા જાતિના મહાજને બાદ શાહને ફરિયાદ કરી, કે શાંતિદાસ, સૂરદાસ અને બીજા એનું મહાજન તેમની સાથે સમાન વ્યવહાર કરતું નથી અને તેમની સાથે જમતા નથી, તેમની સાથે લગ્નસંબંધ બાંધતા નથી. આ અંગે ગુજરાતના ઓફિસ
ને એ જણાવવા હુકમ આપવામાં આવે છે કે આવા અરસપરસના સામાજિક સંબંધ બંને પક્ષની ઈરછા અને તૈયારી ઉપર આધારિત છે. તેથી ઐફિસરે એ નક્કી કરવું કે જે તે લેકે આતુર હોય તે તેઓ લગ્નસંબંધ બાંધી શકે અને એકબીજા સાથે ભેજન લઈ શકે. આ અંગે બીજા કેઈએ દખલ કરવી નહીં અને ઓફિસરોએ આ અંગે અવ્યવસ્થા પેદા થાય તે પવિત્ર ધાર્મિક નિયમ દ્વારા તેને ઉકેલ આણવો અને આ હુકમને ભંગ કરવો નહીં.” સમાજના પ્રશ્નો અંગે શાહી નીતિ - આ ફરમાન દ્વારા સમાજના ઝઘડને લગતા પ્રશ્નો અંગેની શાહી નીતિને ખ્યાલ આપણને આવે છે. અહીં શાંતિદાસ, સૂરદાસ અને તેમના મહાજનની જે અનિચ્છા હોય તે કઈ સરકારી અમલદાર તેમને લંકા જ્ઞાતિ સાથે સમાન વ્યવહાર રાખવા માટે, કે લગ્નસંબંધ બાંધવા માટે, કે સાથે જમવા માટે ફરજ પાડી શકે નહીં એમ કહેવામાં આવ્યું છે. આ લખાણ ઉપરથી પહેલી નજરે આ નિર્ણય તટસ્થ જણાય છે. પણ તેને ગર્ભિત અર્થને સ્પષ્ટ કરીએ તે આપણને જણાય છે કે આમાં બેમાંથી એકે ય પક્ષની અનિચ્છા હોય તે કઈ અમલદાર બેમાંથી કઈ પણ પક્ષને દબાણ કરી શકે નહીં તેમ જણે વવામાં આવ્યું છે. અને અહીંયાં ફરિયાદ કરવામાં આવી છે તે અનુ. સાર શાંતિદાસ વગેરે તે લેક જ્ઞાતિ સાથે સમાન વ્યવહાર વગેરે અંગે અનિચ્છા ધરાવતા જ હતા. એટલે આમ જોઈએ તે આ ફરમાન શ્રી શાંતિદાસ વગેરેને પક્ષ લેતું હોય એમ લાગે છે. ૨૪ ફપિયા પચાસ લાખ અંગેનાં છેલ્લાં ચાર ફરમાન
ફરમાને અંગેની આ લાંબી ચર્ચા, આપણે બાકીના ચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org