SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ફરમાન નં. ૧૫ઃ ઝવેરી તરીકે મળેલ ફરમાન - તા. ૪થી ફેબ્રુઆરી ૧૯૫૬ના દિવસે શાહજહાં અને રાજકુમાર ઔરંગઝેબના મહેર અને સિક્કા સાથેના આ ફરમાનમાં જણાવવામાં આવ્યું છે: “ઝવેરી શાંતિદાસે પિતાના ગુમાસ્તા સાથે રત્નથી ભરેલાં જે પાત્રે બાદશાહને મેકલ્યાં હતાં તે રાજાએ જોયાં છે અને તે રન્ને ઉમદા રાજવી (શાહજહાં) માટે ગ્ય તે ન હતાં, છતાં તેમાથી અમુક રત્ન ખરીદવામાં આવ્યાં છે અને બાકીનાં રત્ન ખરીદેલાં રત્નની કિંમતની રકમ સાથે તેમના એજન્ટ મારફત પાછાં મેકલવામાં આવ્યાં છે. ભવિષ્યમાં ઝવેરાત અને અલભ્ય વસ્તુઓ મેકલવાનું સૂચન શ્રી શાંતિદાસને બાદશાહ તરફથી મોકલવામાં આવે છે અને સાથે સાથે શ્રી શાંતિદાસ માટે માન દર્શાવતે ઉમદા પિશાક (Robe of Honour) પણ નેકલવામાં આવે છે” ફરમાન નં. ૧૬ : ઝવેરી તરીકે રાજદરબારમાં હાજર થવા અંગે ત્યાર પછી ર૪ મી જુલાઈ ૧૯૫૬ના દિવસે શાહજહાં અને દારા શુકોના નામની મહેર અને દારા શુકાના સિક્કા સાથેનું ફરમાન, મોગલ બાદશાહ શાહજહાં ઝવેરી શાંતિદાસને યાદ કરે છે એમ જણાવે છે. આ ફરમાનમાં આગળ શ્રી શાંતિદાસને જણાવવામાં આવે છેઃ “ચોમાસાની ઋતુ પૂરી થવા આવી છે. પિતાના માદરેવતનમાં દશેરાને ઉત્સવ ઉજવીને તેણે (શાંતિદાસે) જરા પણ વિલંબ વગર રાજદરબારમાં હાજર થઈ જવું.” આ બંને ફરમાને દ્વારા આપણને ખ્યાલ આવે છે કે મેગલ બાદશાહ શાહજહાં અવારનવાર રત્ન, ઝવેરાત અને અલભ્ય વસ્તુઓની ખરીદી માટે પ્રવેદી શાંતિદાસને યાદ કરતા રહેતા હતા.૦૨ આ ફરમાનેનું મહત્ત્વ - આ બધાં ફરમાને મોગલ બાદશાહ શાહજર્ડ દ્વારા ઝવેરી શ્રી શાંતિદાસને આપવામાં આવેલાં છે. ઊંચી કેટિના ઝવેરી તરીકે શાહજહાં બાદશાહ અવારનવાર તેમની પાસેથી ઝવેરાત ખરીદતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy