SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૩૯ અલભ્ય વસ્તુઓ અને ભેટો એકલવી જોઈએ. નેધપાત્ર કહી શકાય એવા છેલ્લા ઘણા લાંબા સમયથી શાંતિદાસે અમને કઈ સારી સેવાઓ આપી નથી, અમારી પસંદગીને અનુરૂપ કઈ ભેટ મેકલી. નથી. અમારા સાંભળવા પ્રમાણે તેમણે સારી ચીજવસ્તુઓ બીજી જગ્યાઓએ એકલી છે. એ ગમે તેમ હેય, પણ અમારા જાણવામાં ચક્કસ રીતે આવ્યું છે કે તેમની પાસે ગેળ (chapar) હીરે, ૪૪ સૂM (Surkhs) વજનવાળે છે. તેમણે તે હીરે અમને મોકલી દે જોઈએ, અને ભૂતકાળમાં જે અવગણના કરવામાં આવેલ છે તેને બદલે, તે હીરે મેકલીને વાળી દેવું જોઈએ. જે તેઓ ઉપર સૂચવેલ હીરે મેકલવામાં ઢીલ કરશે તે રાજાને તેની જાણ કરવામાં આવશે અને તેમને રાજદરબારમાં લાવવામાં આવશે. અમે અમારા જાણીતા, વિજયી ભાઈ સુલતાન મુરાદબક્ષને તમને ચેતવણી આપવા લખીશું.” ઝવેરી તરીકે મોગલ બાદશાહ સાથેના શેઠ શ્રી શાંતિદાસના સંબંધો આ ફરમાન ઉપરથી આપણને જાણવા મળે છે કે લગભગ ૧૦ –૧૧ વર્ષથી– ઝવેરી તરીકે તેમને આપવામાં આવેલ છેલ્લા ફરમાનના સમય ઈ. સ. ૧૯૪૪થી આ ફરમાનના સમય ઈ. સ. ૧૬૫૫ના. વચગાળાનાં વર્ષો દરમ્યાન –ઝવેરી શાંતિદાસે બાદશાહ શાહજહાંને, પહેલાંની જેમ ઝવેરાત કે અલભ્ય ચીજવસ્તુઓની ભેટ આપી નહીં હોય, તે બાદશાહને ગમ્યું નહીં અને ઝવેરી શાંતિદાસ પાસે અમુક પ્રકારને હીરે આવ્યું છે તે માહિતી બીજે ક્યાંકથી મળી હવાને લીધે, તેમણે સામે ચાલીને ઝવેરી પાસે તે હીરાની માગણી કરી. બાદશાહની આ માગણે કોઈક રીતે, તે હીરે અથવા તે બીજું કઈ ઝવેરાત મેકલીને સંતોષવામાં આવી છે એને ખ્યાલ આપણને આ ફરમાન પછી લગભગ છ મહિના બાદ અપાયેલ નીચેના ફરમાન ઉપરથી આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy