________________
૧૩૮
તગરશેઠ શાંતિદાસ ઝવેરી
બાદશાહોની રસસને આપણને આ ફરમાન દ્વારા ખ્યાલ આવે છે અને તેવા પ્રસંગને અનુરૂપ ઝવેરાત શાંતિદાસ જેવા નામાંકિત ઝવેરી પાસેથી મળી રહેશે એવા બાદશાહના વિશ્વાસના આપણને આ ફરમાન દ્વારા પરિચય થાય છે.
ફેરાન નં ૧૩ : મિલકત અંગે
શ્રેષ્ઠિવય શાંતિદાસની જમીનની માલિકી દર્શાવતા, ખાદશાહ શાહજહાંની મહેાર સાથેના (સિક્કા વગરના) પમી માર્ચ° ૧૯૪૭ના દિવસે અપાયેલ ફરમાનમાં જણાવવામાં આવ્યુ છે : “ અમદાવાદમાં હવેલી પરગણામાં આવેલ અસારવામાં કૂવા સાથેની ૩૦ વીઘાં જમીન અગીચા માટે વધુ માન; પંજુ, શાંતિદાંસ અને સુંદરદાસ આ ચારેયના કંબજામાં હતી. તેમાંથી વધમાન અને પજુ મૃત્યુ પામ્યા હેાવાથી આ જમીન હવે શાંતિદાસ અને બીજા જે જીવતા છે તેના તથા શાંતિદ્યાસના પુત્રો રતનજી અને લક્ષ્મીચ ંદના કબજામાં પણ છે. આ જમીન આ વ્યક્તિઓના કબજામાં ભેટ તરીકે ચાલુ રાખવા અને તેમાં કઈ રીતે દખલ નહીં કરવા આફિસરો અને મુત્સદ્દીઓને સૂચના આપવામાં આવે છે.”
શ્રી શાંતિદાસ શેઠના ભાઈ, પુત્રો, ભાગીદાર વગેરેના નામના ઉલ્લેખને કારણે આ ફરમાન અગત્યનું બની રહે છે. ફરમાન નં. ૧૪: ઝવેરી તરીકે મળેલ ફરમાન
આ ક્રમાન પછી, ઘેાડાક લાંબા અરસા બાદ, ઇ. સ. ૧૬૫૫૫૬ના સમય દરમ્યાન બાદશાહ શાહજહાં તરફથી ઝવેરી તરીકે શાંતિદાસને ત્રણ ક્રમાના પ્રાપ્ત થયાં હતાં. તેમાં તા. ૧લી સપ્ટેબર ૧૬૫૫ના દિવસે શાહજહાં અને દારા શુકોહની મહેાર અને દારા શુહના સિક્કા સાથેના ફરમાનમાં બાદશાહ શાહજહાં કંઈક ફરિયાદ કરતા હાય તેવા સૂરમાં શ્રી શાંતિદાસને જણાવે છે : “ શાંતિદાસને અમે જે મદદ કરીએ છીએ, જે ગૌરવ આપીએ છીએ તે જગજાહેર છે. તેથી શાંતિદાસ ઝવેરીએ અમને અવારનવાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org