SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧ay વિભાગ–બ : અન્ય ફરમાને તીર્થરક્ષા અંગે જે શાહી મોગલ ફરમાને તેમણે મેળવ્યા હતા, તેને પરિચય આપણે મેળવ્યું. હવે આ વિભાગમાં આપણે તેમને પ્રાપ્ત થયેલાં બીજા કેટલાંક એવાં ફરમાનેને પરિચય મેળવીશું ૬ કે જે રાજદરબારમાંના ઝવેરી તરીકેના તેમના ઉન્નત સ્થાનને નિર્દેશ કરે તેવાં, તેમની મિલક્તની સુરક્ષા કરવા અંગેનાં, મેગલ બાદશાહને લેન રૂપે ધીરેલ રકમ પાછી મેળવવા અંગેના છે. જુદા જુદા વિષયને લગતાં આ ફરમાને રાજદરબારમાંની તેમની ઉન્નત સ્થિતિ અને પ્રથમ કોટિના નાગરિક તરીકેના તેમના સ્થાનને નિદેશ કરે જ છે. ફરમાન નં : મિલકત અંગે શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને તેમની મિલકતના રક્ષણ અને જે ફરમાને પ્રાપ્ત થયા છે તેમાં સૌ પ્રથમ ફરમાન ઈ. સ. ૧૯૩૫-૨૯માં શાહજહાં બાદશાહનાં મહેર અને સિક્કા સાથેનું અપાયું છે. આ ફરમાનમાં જણાવ્યા પ્રમાણે, “અમદાવાદમાં શાંતિદાસ ઝવેરી મકાને, દુકાને અને બગીચાઓ ધરાવે છે. અમદાવાદના સૂબાના વ્યવસ્થાપકને આથી સૂચના આપવામાં આવે છે કે શાંતિદાસ રાજદરબારના શાહી ઝવેરી અને વેપારી હેવાથી કઈ ઑફિસરે ઉપર સૂચવેલ તેના હવેલીને કબજે લે નહીં કે તે દુકાનનું ભાડું ઉઘરાવે તેમાં દખલ કરવી નહી કે તેના બગીચામાં ગેરકાયદેસર રીતે કોઈને પ્રવેશવા દેવા નહીં. શાંતિદાસ અને તેનાં બાળકે તેમના માદરે વતનમાં શાંતિપૂર્વક રહી શકે તે રીતે વર્તવું ફરમાન – ૧૦ અને ૧૧ : ઝવેરાતના ધંધા અને મિલકત અંગે ઝવેરાતના ધંધા અંગેનું અને મિલકતના રક્ષણ અંગેનું આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy