SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી માટે, ખાસ માન રૂપે આપીએ છે. અમલદારે માટે એ જરૂરી છે કે તેઓ આ પર્વમાં બીજા કેઈને ઘૂસવા ન દે અને રાજાએમાંથી કોઈ તેમાં દખલ ન કરે. અને તેમણે તેને (શાંતિદાસને હંમેશાં મદદ કરવી; એ કાર્ય શાહી આનંદને લાવનારું બનશે. અને તેમણે દરેક વર્ષે (નવી) સનદની માગણી કરવી નહીં અને આ ત્રણ પર્વતે, કે જે શાંતિદાસને આપણે આપી દીધા છે, તે અંગે જે કઈ દવે કરશે તે તે વ્યક્તિ પ્રજા અને ઈશ્વર બંનેના ઠપકા અને શાપને પાત્ર બનશે. બીજી જુદી સનદ પણ તેમને આપવામાં આવી છે.” આ ફરમાનનું મહત્ત્વ , પાલીતાણ અંગે આ પહેલાં જેની માહિતી આપવામાં આવી છે તે ચાર ફરમાનેમાંના આદેશને તે આ ફરમાનમાં સમર્થન આપવામાં આવ્યું જ છે, પણ તે ઉપરાંત પાલીતાણમાં (પહાડ પર) થતા ઘાસ અને લાકડાને હક્ક પણ શ્રાવક જ્ઞાતિને આપવામાં આવ્યું છે. અને આ ઉપરાંત આબુ અને ગિરનારના પર્વતે પણ શાંતિદાસ ઝવેરીને આપવામાં આવ્યા છે. જે ઔરંગઝેબે પિતાની યુવાનીના તેરમાં શાંતિદાસ ઝવેરીના દેરાસરને ઝનૂની રીતે કબજે લીધેલ તે જ ઔરગઝેબ શ્રેષ્ઠિવર્ય શાંતિદાસ ઝવેરીએ પિતાને તુરતમાં જે વિશિષ્ટ મદદ કરેલી તેને ધ્યાનમાં રાખીને અને શાંતિદાસની પિતાની માગણીને અને પ્રભાવકતાને ધ્યાનમાં રાખીને આ ફરમાન આપે છે. આ ફરમાનમાં મહેરમાં ઈશ્વરને જે રીતે ઉલેખ છે તે અને આ ફરમાનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ “પ્રજા અને ઈશ્વર બંનેના ઠપકા અને શાપને પાત્ર બનશે” એમ લખીને ઈશ્વરને રાજા કરતાં જે પ્રાધાન્ય આપ્યું છે તે નેધપાત્ર છે. ચુસ્ત, ધર્મપરાયણ ઔરંગઝેબની નીતિ આ શબ્દોમાં વ્યક્ત લઈ છે. - જૈનેના પવિત્ર તીર્થોની રક્ષા માટે સતત પ્રયત્નશીલ એવા શ્રેષ્ટિવર્યને પરિચય આ ફરમાને દ્વારા સ્વાભાવિક રીતે જ આપણને થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy