________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧૩૩ ફરમાન નં ૮: પાલીતાણા, ગિરનાર અને આબુ અંગે
ઈ. સ. ૧૯૬૦ ના માર્ચની ૧૨ મી તારીખે લખાયેલ આ ફરમાનમાં બાદશાહ ઔરંગઝેબને સિક્કો છે અને તેમાં મહારમાં લખવામાં આવ્યું છે: “હે વિશ્વાસુ, ઈશ્વરના, પયગંબરના અને તારી સમક્ષ જે અધિકારી હોય તેના કહ્યા મુજબ કર.” આ લખાણ ઔરંગઝેબની ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. આ ફરમાનમાં જણવવામાં આવ્યું છે –
સહસભાઈના પુત્ર (આ એક જ ફરમાન એવું છે કે જેમાં શ્રેષ્ઠી શાંતિદાસના પિતાનું નામ આપવામાં આવ્યું છે), શ્રાવક જ્ઞાતિના શ્રી શાંતિદાસ ઝવેરીએ ખાસ માન અને આશા સાથે માગણી કરી છે અને કૂચ કરતા લશ્કરને પુરવઠાથી મદદ કરેલી છે અને વિશિષ્ટ બદલાથી પિતાને સન્માન આપવામાં આવે એવી આશા રાખી છે. તેથી પાલીતાણા ગામ (deh) કે જે અમદાવાદ મુકામાં આવેલું છે તે અને શત્રુંજા તરીકે પ્રખ્યાત પાલીતાણુને પર્વત અને તેના પરનું દેરાસર અમે શ્રાવક જ્ઞાતિના શ્રી શાંતિદાસ ઝવેરીને આપીએ છીએ. વળી ત્યાં ઊગતા ઘાસને ઉપયોગ તે જ્ઞાતિના પ્રાણીઓ અને ઢેરને ચરાવવા માટે થઈ શકશે. અને શત્રુંજાના પર્વત પર મળી આવતું ઈમારતી લાકડું પણ શ્રાવક જ્ઞાતિનું ગણવું, કે જેથી તેઓ તેને પિતાની ઈચ્છા મુજબ ઉપગ કરી શકે. શત્રુંજાના પર્વત અને મંદિરને જે કંઈ સંભાળે તે પાલીતાણાની આવકને હકદાર થાય અને તેઓએ કાયમી સરકારને ચાલુ રાખવા માટે પ્રાર્થના ચાલુ રાખવી. વર્તમાન અને ભવિષ્યના વહીવટદાર, અમલદારે, જાગીરદારે અને કોડીઓએ આ લખાણમાં કંઈ સુધારે કે ફેરફાર ચલાવી લેવું નહીં.
“આ ઉપરાંત ગિરનાર નામે જાણીતે જૂનાગઢને પર્વત અને સીહીના મુલકના તાબામાં રહેલ આબુ પર્વત- આ બંને પર્વતે શ્રાવક જ્ઞાતિના શાંતિદાસ ઝવેરીને, તેમને પૂર્ણ સંતોષ થાય એટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org