________________
૧૨૮
' !' વગરશેઠ શતિદાસ ઝવેરી બક્ષના નામને સિક્કો છે. સેરઠ(કાઠિયાવાડની સરકારના તત્કાલીન અને ભવિષ્યના અમલદારને ઉદ્દેશીને લખાયેલ આ ફરમાનમાં જણાવવામાં આવ્યું છેઃ “શાંતિદાસ ઝવેરીએ અમારા દરબારમાં અરજ કરીને જણાવ્યું કે સોરઠ સરકારના તાબાના પરગણામાં પાલીતાણું ગામમાં યાત્રાળુઓ જેની વારંવાર મુલાકાત લે છે તે શંત્રુજય નામે હિંદુઓનું મંદિર આવેલ છે. શાંતિદાસ ઝવેરીને તે ગામ ઈનામ તરીકે ભેટ આપી દેવાયું છે તે ઉમદા હકમ આપવામાં આવે છે. આ જાણ્યા પછી અમલદારેએ તેમના માર્ગમાં કઈ પણ જાતની દખલ કરવી નહીં. આ ગ્રાંટ દેખીતી રીતેં શાંતિદાસના નામે કરવામાં આવે છે તે એટલા માટે, કે આજુબાજુના લેકે હૃદયની શાંતિથી આ તીર્થની મુલાકાત લઈ શકે” આ ફરમાનની પાછલી બાજુએ
નમ્ર સેવક અલી નકી દ્વારા એવી ટૂંકી નોંધ છે. આ અલી નકીને મુરાદબક્ષે પિતે પીધેલી હાલતમાં મારી નાંખ્યું હતું (જુઓ આ પ્રકરણની પાદોંધ નં. ૮). ' ' આ ફરમાનની જરૂરિયાત - પાલીતાણ અંગેના આ ફરમાનની જરૂરિયાત શા માટે ઊભી થઈ એ બાબતને વિચાર કરતાં આપણને સહેજે ખ્યાલ આવે છે, કે બાદશાહ શાહજહાંના ત્રણ દાયકાના દીર્ઘ અમલ દરમ્યાન આ તીર્થમાં જૈનેના હક્કને કેઈ હાનિ પહોંચી ન હતી. પરંતુ બાદશાહ શાહજહાં ઉંમરલાયક થતાં રાજગાદી અંગે તેના ચારેય પુત્રોમાં જે તીવ્ર સ્પર્ધા જાગી હતી તેને અંજામ છેવટે કે આવે એને અંદાજ, દીર્ધદષ્ટિથી વિચારતા અને પેઢી દર પેઢી ગાદી પર આવતા રાજકર્તા મોગલ બાદશાહના નિકટના સંપર્કમાં રહેતા શ્રેષ્ઠી શાંતિદાસને આવી ગયા હતા. ભારતમાં મોગલ સત્તાના વળતાં પાણી શરૂ થઈ ચૂક્યાં છે એને અંદાજ તેમને પિતાના ડહાપણ અને દીર્ઘદષ્ટિથી આવી ગયેલ હતું. તેથી આવા રાજકીય ખટપટોના સમયમાં આ પવિત્ર તીર્થને કંઈ હાનિ ન પહોંચે એવી ભાવનાથી પ્રેરાઈને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org