________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૨૭ વિગતે આ પ્રમાણે છે – પાલીતાણા અંગેનાં ચાર ફરમાને 1. પાલીતાણા અંગે સંઘપતિ શ્રી શાંતિદાસને જે ચાર ફરમાને મળ્યાં છે તેને કાળક્રમે જોઈએ તે, તેમાંનું પહેલું ફરમાન ઈ. સ. ૧૯૫૬ના નવેંબરની સાતમી તારીખે બાદશાહ શાહજહાં દ્વારા, બીજું ફરમાન ઈ. સ. ૧૬૫૭ની જૂનની ૨૧મી તારીખે બાદશાહ શાહજહાં દ્વારા, ત્રીજુ ફરમાન ઈ. સ. ૧૯૫૮ના જૂનની ૨૦મી તારીખે બાદશાહ મુરાદબક્ષ દ્વારા અને એથું ફરમાન ઈ. સ. ૧૬૫૮ના જુલાઈની રક્ષ્મી તારીખે બાદશાહ ઔરંગઝેબ દ્વારા પ્રાપ્ત થયાં હતાં. બાદશાહ શાહજહાંએ બે ફરમાને દ્વારા પાલીતાણાને જે હક્ક શેઠ શાંતિદાસને આપ્યું હતું, તે હક્ક ગુજરાતના ટૂંક સમય માટે – પમી ડિસેમ્બર ૧૮૫૭થી ૨૬મી જૂન ૧૯૫૮ સુધી – બાદશાહ બનેલા મુરાદાબક્ષ દ્વારા પણ ફરમાનના રૂપમાં લેખિત રીતે આપવામાં આવ્યું હતું. અને મુરાદબક્ષ તરફથી આ ત્રીજું ફરમાન મળ્યા પછી એક અઠવાડિયામાં જ ઔરંગઝેબ મુરાદબક્ષને કેદ કરીને સત્તા ઉપર આવતાં, થોડા સમય બાદ જ તેને લગતું ચોથું ફરમાન બાદશાહ ઔરંગઝેબ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ રાજકીય તપ્તા ઉપર સત્તાના કમિક પલટાને લીધે જ એક જ બાબતને લગતાં આ ચાર ફરમાને મેળવવાં જરૂરી બન્યાં હતાં એમ કહી શકાય. તે સમયના બદલાતા રહેલા રાજકીય પ્રવાહને પુરા આ ફરમાને પણ આપી શકે તેમ છે, એ બાબત ઇતિહાસનાં સાધનની દષ્ટિએ ઓછી મહત્વની નથી. આ ચારે. ફરમાનેમાં રજૂ કરેલી વિગતે હવે જોઈએ.
ફરમાન નં. ૪ પાલીતાણા ગામ ઇનામ આપવા અંગે
ઈ. સ. ૧૮૫૬ના નબરની સાતમી તારીખે – શાહજહાંના રાજ્યારોહણના ત્રીસમા વર્ષે ૧૦ – લખાયેલ ફરમાનમાં બાદશાહ શાહજહાં અને રાજકુમાર મુરાદબક્ષના નામના મહેર અને રાજકુમાર મુરાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org