________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧ર૦ અને પિતાની રાજદબારની લાગવગને ઉપયોગ કરીને, ધર્મ અને સંઘના હિતની ખાતર, તીર્થ રક્ષા અંગે ચિંતા સેવનાર શ્રેષ્ઠી શાંતિદાસે શાહજહાં બાદશાહ પાસેથી આ ફરમાન મેળવી લીધું હતું. એટલું જ નહીં, પરંતુ આ ફરમાન મેળવ્યા પછી માત્ર સાત-આઠ માસના ટૂંક સમય બાદ જ, આ તીર્થ અંગે આ જ બાદશાહ પાસેથી બીજું ફરમાન પણ મેળવ્યું. કયા વખતે મેગલ સત્તામાં કયા પ્રકારનું પરિવર્તન આવશે એ અંગેની તે સમયની ડામાડોળ સ્થિતિમાં પિતાના – જેનેના – પ્રાણરૂપ પવિત્ર તીર્થને રખેને કદાચ પણ હાનિ પહોંચશે તે? – આ ભય તેમને સતત રહેતે અને એટલા જ માટે જે બાદશાહ સત્તારૂઢ હોય તેની પાસે તે તીર્થની રક્ષાની ખાતરી આપતું ફરમાન મેળવી લેવાનું તેઓ ચૂકતા ન હતા. ૧૨ ફરમાન નં. ૫: પાલીતાણા અંગે બીજું ફરમાન
" શાહજહાં બાદશાહના રાજ્યકાળના ૩૧ મા વર્ષે, તેની માંદગીની જાહેરાત અને ગાદીવારસાની લડાઈને થોડાક સમય પહેલાં જ, ૨૧મી જૂન ૧૮૫૭ના દિવસે શાહજહાં દ્વારા અપાયેલ બીજા ફરમાનમાં પહેલા ફરમાનમાં આપવામાં આવેલ ગ્રાન્ટને વિસ્તૃત કરવામાં આવી હતી. બાદશાહ શાહજહાંનાં મહેર અને સિક્કો ધરાવતા આ ફરમાનમાં જણાવવામાં આવ્યું છેઃ “અમદાવાદના સૂબાના હાથ નીચેની સેરઠ સરકારના રાજ્યપ્રદેશમાં આવેલ પાલીતાણા, કે જે શત્રુંજય તરીકે ઓળખાય છે તે પરગણું (ગામ નહી) રાજકુમાર મુરાદબક્ષને જાગીર તરીકે અપાયેલ છે. આ ફરમાનથી તે પરગણું, પાનખરના પાકની ત્રતુ પછી, બે લાખ દામના બદલામાં અતમઘા (બક્ષીસ) રૂપે આપવામાં આવે છે. અમલદારે અને જાગીરદારોએ આ હુકમને ધ્યાનમાં રાખીને એ પરગણું શાંતિદાસ અને તેના પિઢી દર પેઢીના વારસેને મળ્યા કરે એ જોવું અને એ પણ ધ્યાનમાં રાખવું કે આ ફરમાનથી બધા વેરાઓ, ખંડણું વગેરે ભરવામાંથી પણ શાંતિદાસને છૂટકારો મળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org