________________
ની એવી બનેલા મુરા
૧૪
નગરશેઠ શાંતિદાસ ઝવેરી મોગલ બાદશાહના સ્થાનને મેળવવાને માટે ગાદીવારસાનું આંતરયુદ્ધ શરૂ કર્યું. તે સમયે રાજકુમાર મુરાદબક્ષ ગુજરાતમાં વાઈસરેયના સ્થાને હતે. પિતાના પિતાની ગંભીર માંદગીના સમાચાર સાંભળીને, ઉતાવળિયા રાજકુમાર મુરાદબક્ષે પમી ડિસેમ્બર ૧૬૫૭ના દિવસે પિતાની જાતને બાદશાહ-ગાઝી તરીકે જાહેર કરી. એટલે આ તારીખથી ગુજરાતમાં શાહજહાંને અમલ પૂરો થયે અને આ નવા રાજવી મુરાદબક્ષના નામે મસ્જિદમાં ખુલ્યા પણ વંચાવા શરૂ થઈ ગયા, નાણું પણ તેના નામનું પાડવામાં આવ્યું, અને મુરાદબક્ષનું સૈન્ય સૂરત જીતીને ૧૭મી જાન્યુઆરી ૧૯૫૮ના દિવસે અમદાવાદમાં આવ્યું.
પરંતુ પમી ડિસેમ્બર ૧૬૫૭ના દિવસે બાદશાહ બનેલા મુરાદઅક્ષની સત્તા લાંબો સમય ટકી ન શકી. વળી જેવી રીતે ગુજરાતમાં મુરાદબક્ષે પિતાની જાતને પાદશાહ સ્ત્રીકે જાહેર કરી હતી તેવી રીતે શાહજહાંને બીજો પુત્ર શુજા બંગાળમાં પાદશાહ થઈ બેઠે હતા અને દારા ઉત્તર ભારતમાં હકૂમત ચલાવતું હતું. શાહજહાં તે દારાને પિતાને વારસદાર બનાવવા ઈચ્છતા હતા, પણ તેના ગર્વ અને તેરે એની સામે દરબારમાં અનેક દુશ્મને ઊભા કર્યા હતા. વળી સ્વભાવથી દારા તેના સક્રિય ભાઈએ કરતાં રાજકારણના અનુભવમાં નબળે હતું, એટલે દારા શાહજહાંને અનુગામી બાદશાહ અને એ શકયતા જ ઓછી હતી. અને આ સમયે ઔરંગઝેબ દક્ષિણ ભારતમાં સર્વોપરી બની ગયા હતે.
ખંધા મુત્સદી ઔરંગઝેબે રાજગાદી મેળવવા માટે દીર્ધદષ્ટિથી એક પછી એક ભાઈ એ અને પિતાને પરાજિત કરીને રાજગાદી મિળવવા માટે સામ-દાન-ભેદ-દંડની કુટિલ નીતિ અપનાવી. દક્ષિણ ભારતમાં સર્વોપરી બન્યા બાદ સૌ પ્રથમ તેણે ગુજરાતમાં રહેલા મુરાદબક્ષ સાથે ઈ. સ. ૧૬૫૭ના ઑકટોબરની મધ્યમાં દસ્તીપૂર્વક હાથ મિલાવ્યા. બંનેએ સાથે મળીને બંગાળમાં અને ઉત્તર ભારતમાં રહેલ પિતાના ભાઈ શુજા અને દારાને હરાવવાનું નક્કી કર્યું હતું.
પાદશાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org