SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાના સમૃદ્ધિ અને સુખસગવડ માટે પ્રયત્ન કરવા.” આ બંને ફરમાના દ્વારા આપણને એ હકીકત જાણવા મળે છે કે શખેશ્વર ગામ પહેલાં રાજદરબાર દ્વારા શાંતિદ્યાસ ઝવેરીને સનદરૂપે મળ્યું હશે અને પછી, રૂા. ૧૦૫૦ અને જાગીરદારીના નિયમ મુજબના કર ચુકવવાને કારણે તે ગામ બાદશાડુ તરફથી શાંતિદાસ શેઠને ઇજારા તરીકે આપવામાં આવેલ હશે. અને તેથી શાંતિદાસે તે ગામના વિકાસ અને લેાકાનું કલ્યાણ થાય તેવાં કાર્યાં પેાતાની ફરજ રૂપે કરવાં એવું એમાં જણાવવામાં આવ્યું છે. ઇ. સ. ૧૬૫-૫૮ના પલાતા જતા રાજકીય તખ્તાને પરિચય હવે આપણે જૈનેાના પવિત્ર તીથ શત્રુજયને લગતાં, ઈ. સ. ૧૬૫૬-૫૮ના સમય દરમ્યાન શાંતિદ્યાસ ઝવેરીન મળેલાં, ચાર ક્ર-માનાના વિચાર કરીશું. બે-ત્રણ વર્ષના ટૂંકા ગાળા દરમ્યાન, એક જ સ્થાનને લગતાં, આવાં ચાર ક્માને શા માટે આપવા પડયાં હશે તે હકીકતને સમજવા માટે આપણે તે સમયના પલટાતા જતા રાજકીય તખ્તાને પરિચય મેળવવેા પડશે.૬ ૧૨૩ ઈ. સ. ૧૯૫૭ની સાલમાં સપ્ટેમ્બર માસમાં મોગલ માદશાહ. શાહજહાં, ત્રણ દાયકા જેટલા સુદીર્ઘ સમય સુધી રાજસત્તા લગભ્યા બાદ, ગંભીર માંદગીમાં સપડાયા હતા. તે સમયે રાજકુમાર દારા શુકાહ શાહજહાંના નામે રાજના હુકમા બહાર પાડતા. શાહજહાંની તયિત સહેજ સારી થતાં તખીઓએ તેને હવાફેર માટે આગરા લઈ જવા જણાવ્યું. જમુના નદી દ્વારા તે આગરા ગયા. તે દરમ્યાનમાં બધા પ્રદેશેામાં તેના મૃત્યુની અફવા ફરી વળી. શાહજહાં પોતે રાજ્ય સભાળી શકે એટલે તંદુરસ્ત થયા ન હેાવાથી તેણે પોતાના સૌથી મોટા પુત્ર દારાનું નામ પેાતાના અનુગામી બાદશાહ તરીકે સૂચવ્યું. હતું. પરંતુ દારા કાચા રાજનીતિજ્ઞ હતા, એટલે શાહજહાં પછી. ગાદીવારસ કાણુ એ પ્રશ્નના શાહજહાંના કે પ્રજાના ઉત્તર સાંભળ્યાવિચાર્યું ભંગર શાહજહાંના ખીજા પુત્રોએ શાહજહાંના અનુગામી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy