SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ નગરશેઠ શાંતિદાસ ઝવેરી સાથે સાથે આનંદની વાત એ છે કે આ ફરમાને આજ પર્યત તેના અસલ રૂપમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે તથા બીજા કેટલાંક સ્થાનેએ સચવાઈ રહ્યાં છે. શ્રી કોમિસેરિટને સ્તુત્ય પ્રયત્ન નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને મળેલાં ફરમાનેનું વર્ગીકરણ કરીને, તેને તેની ફેટ સ્ટેટ નકલે સાથે એક જ પુસ્તકમાં રજૂ કરવાને સ્તુત્ય પ્રયત્ન સુપ્રસિદ્ધ ઇતિહાસકાર અને વિદ્વાન શ્રી એમ. એસ કેમિસેરિયેટે પિતાના પુસ્તક “Imperial Mughal Farmans in Gujarat માં કર્યો છે. આ ઉપરાંત તેમનાં જ અન્ય બે પુસ્તક : Studies in the History of Gujarat' 247 'History of Gujarat' ભાગ-રમાં પણ કેટલાંક ફરમાનેની ચર્ચા કરી છે. આ પ્રકરણમાં રજૂ કરવામાં આવેલ કુલ ૨૨ ફરમાનેમાંથી ફરમાન નંબર ૧, ૪, ૫, ૬ અને ૭ “Studies in the History of Gujarat' અને “History of Gujarat" ભાગ રમાં રજૂ થયા છે, જ્યારે બાકીનાં બધાં ફરમાને “Imperial Mughal Farmans in Gujarat” પુસ્તકમાં રજૂ થયાં છે. ( ધઃ આ ર૨ ફરમાને ઉપરાંત આ જ પુસ્તકના પ્રકરણ આઠમામાં “શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર પાછું સોંપવા અંગેના એક ફરમાનની ચર્ચા કરવામાં આવી છે.) ફરમાનોની ચર્ચા બે વિભાગમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને જે કંઈ ફરમાને પ્રાપ્ત થયાં છે તેને અહીંયાં મુખ્ય બે વિભાગમાં વહેંચીને તેની ચર્ચા કરીશું: એ. તીર્થરક્ષાને લગતાં ફરમાને અને વ. અન્ય ફરમાને. જૂઆતની સરળતા ખાતર આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે, પણ ફરમાનેના નંબર સળગે આપ્યા છે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy