SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ નગરશેઠ શ્રી શાંતિદાસ જ્વેરીને પ્રાપ્ત થયેલ ફરમાનો માગલ બાદશાહો સાથેના નગરશેઠ શ્રી શાંતિદ્યાસ ઝવેરીના ઘનિષ્ઠ સમધ તથા તે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને એક કુશળ ઝવેરી તરીકે માગલ રાજદખારમાં નામના પ્રાપ્ત થઈ અને માગલ ખાદશાહ તરક્ શ્રી તેમને જે નગરશેઠપદ પ્રાપ્ત થયું અમદાવાદના મહાજનના અગ્રેસર ગણાયા તે વિગત આપણે શાહી ઝવેરી અને નગરશેઠ' નામે ચેાથા પ્રકરણમાં અને આદશ મહાજન' નામે સાતમા પ્રકરણમાં જોઈ ગયા. " ' મેાગલ બાદશાહો સાથેના તેમના ઘનિષ્ઠ સંધાની આપણને ઐતિહાસિક રીતે પ્રતીતિ થાય તેવા પુરાવાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. એક કરતાં વધારે માગલ બાદશાહેા પાસેથી તીની માલિકીને લગતાં, લેનરૂપે આપેલ પૈસા ભરપાઈ કરવા અગેનાં, ઝવેરી તરીકેની પોતાની ફરજને લગતાં, પોતાની માલમિલકતના રક્ષણને લગતાં એમ વિવિધ હેતુઓ માટેનાં શાહી ક્રમાના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થાય છે, જે તેમના મેગલ બાદશાહેા સાથેના સંબધના પુરાવારૂપ ગણી શકાય તેમ છે. ફરમાન એટલે શુ? મોગલ રાજ્યકાળ દરમ્યાન ખાદશાહના હુકમના અમલ થાય તે માટે બાદશાહ તરફથી વિશિષ્ટ સીલ (મહેાર, છાપ) સાથે ક્રમાના બહાર પાડવામાં આવતાં, કે જેમને અમલ કરવા એ જે તે રાજ્યના અમલદારેની ક્રુજ થઈ પડતી, એટલે આ ફરમાન કે શાહી વટહુકમે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક દૃદ્ધિએ ખૂખ મૂલ્યવાન ગણાય છે.. વળી આવાં એક કરતાં વધારે ફરમાના કોઈ એક વ્યક્તિને મળે તે હકીકત તે વળી વધારે ગૌરવરૂપ ગણાય તે સ્વાભાવિક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy