SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ નગરશેઠ શાંતિદાસ ઝવેરી શાહજહાંના ફરમાન પછી આ ઈમારતને જૈને કે મુસલમાને – એ એમાંથી કોઈ પોતાનાં ધાર્મિ ક અનુષ્ઠાને માટે વાપરતા ન હતા અને તેથી તે લેાકેા દ્વારા અવગણાવા માંડી હતી. ફ્રેંચ પ્રવાસી ટેવરનીયરની મુલાકાત સુપ્રસિદ્ધ 'ચ' પ્રવાસી ટેવરનીયર, કે જે ઝવેરી તરીકે પણ પ્રખ્યાત હતા, તેણે તેના પ્રવાસ દરમ્યાન અમદાવાદની અનેક વાર મુલાકાત લીધી હતી. નીચેના જે શબ્દો તે ટાંકે છે તે સ્પષ્ટ રીતે શેઠ શ્રી શાંતિદાસના દેરાસરને જ લાગુ પડે છે. ટેવરનીયર જણાવે છે 2 ---- હું આ જગ્યાએ એક પેગેાડા ( દેરાસર ) હતું કે જેને મુસ્લિમાએ પોતાના કબજે લઈને તેને મસ્જિદમાં ફેરવ્યું. તેની અંદર પ્રવેશતાં પહેલાં આરસપહાણથી બનેલ અને ગેલેરી( ભમતી )થી ઘેરાયેલ ત્રણ મેઢાનામાં થઈને તમારે પસાર થવું પડે છે, અને ત્રીજામાં તમે ચ’પલ કાચા વગર પ્રવેશી શકતા નથી. મ`દિરના બહારના ભાગને માઝેઇક વડે શણગારવામાં આવ્યા છે. તેના મોટા ભાગ, અહીથી માત્ર એ દિવસના પ્રવાસ દ્વારા જ જ્યાં પહોંચી શકાય છે, તે ખંભાતના પ તેમાંથી મળતા જુદા જુદા રંગના અકીકના પથ્થરના બનેલા છે.”૩૪ મૂળ દેરાસર' તરીકે બધાયેલ ઇમારતને મસ્જિદમાં ફેરવવામાં આવી હતી તેને ખ્યાલ આપણને આ બધા ઉલ્લેખામાં સચવાઈ રહેલ વર્ષના ઉપરથી આવે છે. લુપ્ત થયેલ બેનમૂન ઇમારત આ બંને પ્રવાસી – ચૈવેના અને ટેવરનીયર – નાં વણુના એટલું તે સ્પષ્ટ કરે જ છે, કે આ ઇમારત ધાર્મિક અનુષ્ઠાના માટે ખાસ વપરાય એવી રહી ન હતી. ફરમાનદ્વારા ચિંતામણિના દેરાસરની ઇમા રતના કમજો મેળવ્યા છતાં, વાસ્તવિક રીતે તે ઇમારત જૈન સંઘ વાપરી શકે તે શકય ન બન્યું તેના અફસોસ શ્રી શાંતિદાસ ઝવેરીને જીવનપર્યં ત રહ્યો. આવી એક બેનમૂન ઇમારત માનવીના હાથે જ લુપ્ત થઈ ગઈ તે ઘટના પણ એછી કમનસીબ તેા ન જ ગણાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy