________________
શ્રી ચિંતામણિ–પા નાથનું દેરાસર
૯૭
હિંદુ ધર્માંની અનેક ઇમારતને નુકસાન પહોંચ્યું હેાવા છતાં, અપવાદ રૂપ આ કિસ્સામાં જ ચિંતામણિનું દેરાસર તેના મૂળ માલિકને પાછું સોંપવામાં આવ્યું હતું.૯ આ ખાખત પણ શ્રી શાંતિદાસ ઝવેરી દિલ્હી દરબારમાં કેવી શાહી વગ ધરાવતા હતા તે સૂચવે છે. દેરાસર પાછું સોંપવાની સાથે સાથે જ, તે અ ંગે થયેલ નુકસાન ભરપાઈ કરી આપવાનું ફરમાવતું અને કોઈ તેમાં દખલ ન કરે તે માટે પણ હુકમ આપતું આ ફરમાન, જો આ શ્રેષ્ઠિરત્નના રાજદરબારમાં પૂરા પ્રભાવ ન હેાત તા મળવું શકય ન બનત.
આ ભગ્ન અને અપવિત્ર કરવામાં આવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને શાહી ફરમાનથી જ પાછું મેળવવાનું શ્રી શાંતિદાસ શેઠનું આ સાહસ તા વાધના માંમાં ગયેલા સસલાને જીવતું પાછું લાવવાના સાહસની યાદ આપે એવું અનેાખુ હતું. અને જો અપવિત્રતાના વધારે પડતા ખ્યાલથી દોરવાઈ ને આ દેરાસરને ફરી શરૂ કરવાના વિચારને માંડી વાળવામાં આવ્યે ન હેાત અને એ દેરાસરની વિશુદ્ધિ કરીને એની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હોત તે, આપણા એક મહાન પ્રતાપી પૂજના હાથે રચાયેલ અસાધારણ કૈટિની વિશિષ્ટ કહી શકાય તેવી તેમ જ જૈન સંઘના ગૌરવભર્યાં ઇતિહાસની ખેલતી કીતિ ગાથા સમી એ અદ્ભુત ઇમારતનાં આજે પણ આપણે દર્શન કરવા ભાગ્યશાળી થાત અને શાસનસેવાની પ્રેરણા લઈ શકત. પણ આપણી ટૂંકી નજર અને સંકુચિત મનેાવૃત્તિને કારણે એમ ન થઈ શકયું' અને જૈનસંઘની ગૌરવકથા સંભળાવી શકનાર એ ભવ્ય ઈમારત કાળના અનંત પ્રવાહમાં, સવિશેષ કરીને માનવના હાથે જ, સદાને માટે વિલીન થઈ ગઈ! કેવા દુઃખની આ
.
વાત છે !
આ ઇમારત સદાને માટે નામશેષ થઈ ગઈ
ક્રમાનના રૂપમાં શાહી હુકમથી દેરાસરની આ ઇમારત પાછી મેળવ્યા છતાં આ ઇમારતમાં જૈનેા ફરી વખત પૂજા-પ્રાર્થના ભક્તિ કરે
: h
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org