________________
મગર શાંતિદાસ ઝવે પ્રાર્થના માટેની જે કમાને ફત્તેહમંદ અને ઉમદા રાજવી દ્વારા બાંધવામાં આવી છે તેને કબજામાં રાખી શકાય અને તેની પાસે દેરાસર અને કમાનની વચ્ચે પડદે બાંધી શકાય. તેથી એ હુકમ આપવામાં આવે છે કે અનુકૂળ વલણ તરીકે ઉમદા બાદશાહ એ દેરાસર શાંતિદાસને આપી દે છે, અને તે તેને પહેલાની જેમ માલિક બને છે અને તે પિતાને ગમે તેવી રીતે ત્યાં પ્રાર્થના કરી શકે છે. કેઈએ તેને હેરાન કરે નહીં. વળી, ત્યાં કેટલાક ફકીરે પિતાનું રહેઠાણ બનાવીને રહે છે તેમને બહાર કાઢી નાખવા અને શાંતિદાસને મુશ્કેલીમાંથી દૂર કરવા અને આ અંગેના ઝઘડાઓથી મુક્ત રાખવા.
વળી બાદશાહના ધ્યાનમાં એ પણ આવ્યું છે કે કેટલાક હેરાઓ તે દેરાસરના માલસામાનને દૂર કરીને ઉપાડી ગયા છે. તે આ પ્રકારને બનાવ બન્યા હોય તે તેમની પાસેથી આ માલસામાન પાછી મેળવે અને ઉપર દર્શાવેલ વ્યક્તિ(શાંતિદાસ)ને તે પાછો સેપી દે. અને જે તે માલસામાન વાપરી નાખવામાં આવ્યું હોય તે શાંતિદાસને તેની કિંમત ચુકવવી..
આ બાબતમાં, આ હુકમને ખૂબ તાકીદને ગણીને તેને તરત અમલ કરે. હિજરી વર્ષ ૧૦૫૮ માં જમાદિ-ઉસસાની માસમાં ૨૧મી તારીખે (જુલાઈ ૩, ૧૬૪૮) લખાયું.૨૮
આ ફરમાનમાં જણાવવામાં આવેલ મુખ્ય મુખ્ય બાબતે આ પ્રમાણે તારવી શકાય ઃ (૧) જે ઈમારતને ઔરંગઝેબે મસ્જિદમાં ફેરવી છે તે પાછી તેના મૂળ માલિક શ્રી શાંતિદાસ ઝવેરીને સેંપી. દેવી. (૨) ઔરંગઝેબે મેસ્જિદ માટે ઊભી કરેલી કમાને – મહેરાબે – તેમાંથી દૂર કરવી. (૩) ફકીરને તે સ્થાનમાંથી દૂર કરવા. (૪) વહોરાઓ જે માલસામાન લઈ ગયા છે તે પાછું મેળવે અથવા તેનું નુકસાન ભરપાઈ કરવું. આ ફરમાનનું મહત્વ અને ઇમારતનાં દુર્ભાગ્ય
એ હકીકત વિશેષ નોંધપાત્ર છે કે પોતાના જ શાહજાદા દ્વારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org