SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ * નગરશેઠ શાંતિદાસ ઝવેરી હતા એટલે આની સામે પગલું ભરવાની યોગ્ય તકની રાહ જોવાનું નક્કી કરીને તત્કાળ પૂરતું ચૂપ રહેવાનું એમણે મુનાસિબ માન્યું. જુદાં જુદાં પુસ્તકમાં ઉલ્લેખ મળે છે તે પ્રમાણે, આ પ્રસંગથી તે સમયે ગુજરાતમાં અમદાવાદમાં કેમી હુલ્લડ પણ થયું હતું. ૨૫ - તે સમયની અસ્થિરતાનાં વમળ શાંત પડ્યાં, પિતાના મનને ન લાગેલે કારી ઘા જરાક રૂઝાય ત્યારે શ્રી શાંતિદાસ શેઠે રાજંદરબારમાં આ અંગે પિતાનાથી બનતા પ્રયત્ન શરૂ કર્યા.૨૬ પિતાના જીવનમાં પિતાને કીતિ અપાવે એવાં કાર્યોમાં આ ચિંતામણિ-પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠાનું કાર્ય શિર મેર સમું હતું. એટલે એ દેરાસર મસ્જિદમાં ફેરવાયા બાદ, ફરી વખત જૈનધર્મનું દેરાસર બની જાય અને તેમાં શ્રાવકસંઘ સેવા-પૂજા-ભક્તિ-પ્રાર્થના શરૂ કરે એ માટે તેઓ ખૂબ આતુર હતા. એટલે ગ્ય સમય આ જણાતાં તેમણે શાહજહાં પાસે આ ઈમારતની આવી દુર્દશા થવા અંગે ફરિયાદ કરી, અને એને પાછી મેળવવાની માંગણી પણ કરી. વળી મુલ્લા અબ્દુલ હકીમે પણ ઇસ્લામના નિયમને ઉલ્લેખ કરીને શાંતિદાસ શેઠને સાથ આપતાં જણાવ્યું કે કે બીજા માણસની ઈમારતને, ઈસ્લામના અતૂટ કાયદા પ્રમાણે, મસ્જિદ તરીકે વાપરી શકાય નહીં. બાદશાહ શાહજહાં પણ શ્રેષ્ઠી શાંતિદાસની સેવાઓથી તથા કપ્રિયતાથી અનભિજ્ઞ ન હતું. એટલે તેણે શ્રી શાંતિદાસને તેના દેરાસરને કબજે પાછો મળે એ માટે તા. ૩ જુલાઈ ૧૯૪૮ના દિવસે એક શાહી ફરમાન દ્વારા શાહી હુકમ બહાર પાડ્યો. સરને થયેલું નુકસાન અને તે અંગે પ્રાપ્ત થયેલ શાહી ફરમાન ઈ. સ. ૧૬૪૫(સંવત્ ૧૭૦૧)માં આ દેરાસર મસ્જિદમાં ફેરવાયું અને ઈ. સ. ૧૬૪૮(સંવત ૧૭૦૪)માં તે અંગે ફરમાન પ્રાપ્ત થયું તેની વચગાળાના સમય દરમ્યાન આ ઈમારતને કોઈ ધણીધારી ન હોવાથી કે તેને મન ફાવે તેમ ઉપયોગ કરવા લાગેલા. ઔરંગછે. આ ઈમારતને મસ્જિદનું રૂપ આપવા માટે તેમાં કેટલાક આંતરિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy