________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી. વિ. સં. ૧૬લ્પના માહ વદિ ૧૪ને ગુરુવારે શત્રુંજયની યાત્રા કર્યાનું નેધતી પં. દેવચન્દ્રવિરચિત “શત્રુંજયતીર્થ–પરિપાટીમાં શત્રુંજયની યાત્રા પહેલાં અમદાવાદના યાત્રાવણનમાં પહેલી ઢાળની. આઠમી કડીમાં જણાવવામાં આવ્યું છે : બીબીપુરિ ચિંતામણિ પાસિ વિજયચિંતામણિ પુરિ આસ;
ભાલે અસાઉલ વાસ તુ” જ ૮૯ દેરાસર અંગેની દુ:ખદાયક હકીકત . - જે દેરાસરને એક તીર્થ તરીકે ઉલ્લેખ કરવામાં આવતે હેય તે દેરાસરની ભવ્યતા ઓછી તે ન જ હેય. આવું ભવ્ય દેરાસર) હવે આપણે જે અઘટિત પ્રસંગને ઉલ્લેખ કરવાને છે તે પ્રસંગ જે ન બન્યું હોત તે, કાળબળની સામે ટકકર ઝીલીને આજે પણ આપણી સમક્ષ એના જાજરમાન રૂપમાં ઊભું હેત. | શ્રી કોમિસેરિયેટના શબ્દોમાં જોઈએ તે, “એ એછી. દુઃખદાયક હકીક્ત નથી કે પંદરમી અને સેળમી સદીમાં અમદાવાદમાં બંધાયેલ મુસ્લિમ ઈમારતે હજુ આજે પણ લગભગ સંપૂર્ણ હાલતમાં પડી છે, ત્યારે ૧૭મી સદીમાં બંધાયેલ આ ભવ્ય જૈન દેરાસર કેટલાંક કારણે, કે જેની ચર્ચા આપણે પછી કરીશું, તેને. લીધે સાવ અદશ્ય થઈ ગયું છે.૨૦
શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથના આ દેરાસરને પ્રતિષ્ઠિત થયાને માંડ. બે દાયકા થયા ન થયા ત્યાં તે, આપણા કમનસીબે, તેને નાશ થાય. તે પ્રસંગ બની ગયે. બાદશાહ ઔરંગઝેબે દેરાસરમાં કરાવેલ ગાયને વધ
મોગલ બાદશાહ શાહજહાંના હાથ નીચે, ઈ. સ. ૧૬૪૫ થી ૧૬૪૬ ના સમય દરમ્યાન, બેએક વર્ષ માટે, ગૂજરાતના મેગલ વાઈસ-. રેય (સૂબા) તરીકે બાદશાહજાદો ઔરંગઝેબ નિમાયે હતું ત્યાર આ પ્રસંગ છે. યુવાનીના મદથી ચકચૂર બનેલા ધર્મઝનૂની એવા રાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org