________________
શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર કરવામાં આવી છે એમ આપણને તેની પુપિકા (colophon) ઉપરથી જાણવા મળે છે.
આ કૃતિમાં આ દેરાસરને લગતી અને શ્રી શાંતિદાસ શેઠના સંવત્ ૧૬૯૭ (ઈ. સ. ૧૬૪૦) સુધીના જીવનને લગતી જે હકીકતે આપવામાં આવી છે તેની ઐતિહાસિકતાને પૂર પુરાવે આપણને અન્યત્ર મળી રહે છે. આ કૃતિમાં અને તેને આધારે અન્ય પુસ્તકમાં આ દેરાસર અંગે વિગતવાર મળી આવતી માહિતી જોઈએ : દેરાસરની પ્રતિષ્ઠા
શ્રી ચિંતામણિપાર્શ્વનાથનું આ દેરાસર સંવત્ ૧૬૭૮(ઈ. સ. ૧૬૨૧)માં શેઠ શ્રી શાંતિદાસે પિતાના ભાઈ વર્ધમાન સાથે મળીને બંધાવવું શરૂ કર્યું હતું. ત્યાર બાદ સં. ૧૬૮૧ (ઈ. સ. ૧૬૨૫)માં આ દેરાસરનું કામ પૂરું થતાં વાચકેન્દ્ર નામના વિદ્વાન સાધુના નેતૃત્વ નીચે મૂળનાયક શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથની પ્રતિમાની તેમાં પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ દેરાસરનું નામ “મેરૂતુંગ” રાખવામાં આવ્યું દેરાસરનું વર્ણન
“શ્રી ચિંતામણિપ્રશસ્તિમાં લેક ૪૫ થી ૫૪ માં આ દેરાસરનું જે સંસ્કૃત વર્ણન આપવામાં આવ્યું છે તેનું અંગ્રેજી ભાષાંતર શ્રી કેમિસેરિયેટે આપ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે –
સંવત ૧૬૭૮ (ઈ. સ. ૧૯૨૧)માંવર્ધમાન અને શાંતિદાસ કે જેઓ પિતાને નસીબના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા હતા, જેમણે પિતાના કુટુંબના સભ્યો સાથે ધાર્મિક વ્રત લીધેલાં, જેઓ ખૂબ પવિત્ર જીવન જીવતા હતા અને જેમણે એમ સાંભળેલું કે મંદિર બંધાવવાથી સારું નસીબ પ્રાપ્ત થાય છે, તેમણે બીબીપુરામાં ભવ્ય મંદિર (દેરાસર) બાંધ્યું (લેક ૪૫-૪૯). દેરાસરની કમાને ઉપર અપ્સરા જેવી સ્ત્રીઓની મૂતિઓ હતી, જ્યારે દેરાસરના દ્વારમાં સંરક્ષણ માટે પંચપાત્ર (કે પંચપત્ર?) હતું. દેરાસરનાં વિશાળ, ઉન્નત પગથિયાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org