SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી બંધાવવાનું કાર્ય શરૂ કર્યું. આ દેરાસર ખૂબ ભવ્ય બનાવવાને તેમને વિચાર હતે. લાખે, રૂપિયા ખર્ચીને પણ એક નમૂનેદાર દેરાસર બનાવવા માટે તેમણે શક્ય એટલાં ઉત્તમ સાધન-સામગ્રી, કારીગરો વગેરે મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા. જયપુરથી ઊંચી કિંમત આપીને મકરાનને આરસપહાણ ખરીદ્યો. આગ્રા અને દિલ્હી જઈને તે આરસપહાણે પર સરસ કેતરકામ કરનાર શિલ્પીઓને અમદાવાદ મેકલ્યા. ખંભાતમાંથી જાતજાતના અકીકના પથ્થરો ખરીદ્યા. સેમપુરા સલાટોએ શિલ્પશાસ્ત્રના મિયમ મુજય દેરાસરના નકશા તૈયાર કર્યા. અનુભવી અને બહુશ્રુત વિદ્વાન શ્રી મુકિતસાગરજીએ ધાર્મિક નિયમો સમજાવીને દેરાસરમાં ભેંયરા અને ફરતાં બાવન જિનાલય કેવી રીતે બંધાવવાં તે સમજાવ્યું. શ્રી શાંતિદાસ શેઠ પણ પિતાના સમયને મોટે ભાગે આ દેરાસરની તૈયારી પાછળ ગાળવા માંડ્યા. ટૂંકમાં, આ દેરાસર ઉત્તમ પ્રકારનું નમૂનેદાર દેરાસર બને એ માટે પિતાનાથી બનતા બધા જ પ્રયત્ન શ્રી શાંતિદાસે કરવા માંડયા અને એ માટે તેમણે પિતાનાં દ્રવ્ય, સમય, શક્તિ એ બધાંને છૂટે હાથે ઉપયોગ કરવામાં કશી. મણા ન રાખી. શ્રી ચિંતામણિપ્રશસ્તિ' - આ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર વિષે – જેને કેટલાક લેખકે ચિંતામણી પાર્શ્વનાથના દેરાસર તરીકે પણ ઉલ્લેખ કરે છે – આપણે વધુ વિચાર કરીએ તે પૂર્વે એક હકીક્ત ધ્યાનમાં રાખીએ કે “શ્રી ચિંતામણિપ્રશસ્તિ” નામે કૃતિની રચના શેઠ શ્રી શાંતિદાસે બંધાવેલ આ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રશસ્તિરૂપે જ કરવામાં આવી છે. શ્રી ચિંતામણિ-પ્રશસ્તિ'ની રચના પૂજ્ય મુનિ શ્રી સત્યસૌભાગ્યના શિષ્ય પૂજ્ય મુનિ શ્રી વિદ્યાસૌભાગ્ય દ્વારા સંવત્ ૧૬૭ના પિષ સુદ બીજને શુક્રવારના દિવસે (ચેથી ડિસેમ્બર ૧૬૦૦ ના રેજ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy