________________
આદર્શ મહાજન
હય, “ઔરંગઝેબ બાદશાહના સમયમાં ખાસ કરીને અમદાવાદમાં જેનું સારું જોર હતું. શાંતિદાસ શેઠને લીધે સરકારી માણસે જૈનેનું માન જાળવતા.૮
મહાજન અને નગરશેઠ. ' મહાજનની અવગણના રાજસત્તા કરી ન શકે અને મહાજનની વિશિષ્ટ ફરજે કેવી હોઈ શકે તેને ખ્યાલ આપ્યા પછી અમદાવાદના મહાજનેને પરિચય શ્રી રત્નમણિરાવ ભીમરાવે આ રીતે આપ્યો છે : “આખા શહેર તરફથી આગળ થવાના પ્રસંગ પહેલાં નગરશેઠને ઘણી વાર આવતા. .....શહેર તરફથી સરકારમાં કાંઈ અરજ કરવાની હોય તે લોકો નગરશેઠને મોખરે કરતા. આવા પ્રસંગ આગળ બહુ આવતા પણ હાલ નગરશેઠની. કાંઈ ખાસ સત્તા નથી.”૯
અહીંયાં એક હકીકતને નિદેશ મળે છે કે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં, જે નગરશેઠ હોય તેને જ લોકો મહાજન કે મહાજનના મેવડી તરીકે ગણુતા અને પિતાને રાજમાં કંઈ ફરિ યાદે નેંધાવવી હોય તે સીધા રાજમાં જવાને બદલે મહાજન એવા નગરશેઠ પાસે પોતાની વાત રજૂ કરતા અને નગરશેઠ તે વાત રાજા-મહારાજા સુધી પહોંચાડીને એને નિકાલ પણ કરાવી. આપતા.
સંદેશવાહક દૂત :- રાજા અને પ્રજા વચ્ચેના સંદેશવાહક દૂત તરીકેની જવાબદારી જાણ્યે-અજાણ્યે નગરશેઠ કે મહાજનના માથે આવી જ જતી. એટલે જેવી રીતે પ્રજા પિતાની વાત રાજાના કાને પહોંચાડવા માટે મહાજનને ઉપયોગ કરતી તેવી જ રીતે રાજા પણ પિતાની વાત લે સુધી પહોંચાડવા માટે મહાજન હોય તેવી વ્યક્તિને જ ઉપયોગ કરતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org