________________
મા મહાજન મહાજનના અગ્રેસર * યુત ડુંગરશીભાઈ સંપટના શબ્દોમાં જોઈ એ તે, “મહાજનના અગ્રેસર અને નગરશેઠ તરીકેની ફરજ બજાવવામાં એમને ઘણો સમય જતે. વેપારીઓના પરસ્પરના ઝઘડામાં ઘણું કરી એ પંચ તરીકે નિમાતા હતા. વેપારનું ઊંડું જ્ઞાન, સારી સમજાન્ટ, ન્યાય કરવાની સાદી સમજ અને નેહથી તેઓ અનેક વાંધા, તકરોને સંતોષકારક નિવેડે લાવતા હતા. પિતે હજી યુવાન હતા તથાપિ એમનામાં વૃદ્ધા જેવી ગંભીરતા હતી. ધીરજ અને શાંતિથી વિચારપૂર્વક કાર્ય કરતા હતા. અમદાવાદની પાંજરાપોળને વહીવટ પણ તેઓ જ સંભાળતા અને નિખાલસ ભાવે કામ કરતા હતા? કોહમાજ અને દાનવીર શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરી
શ્રી શાંતિદાસ શેઠે જે પાલીતાણાને સંઘ કાઢયો હતો તેનું વર્ણન કરતાં શ્રી ડુંગરશીભાઈ જણાવે છે : “સંઘમાં ઘણા દેશના અને વિધવિધ સ્વભાવના માણસો ભેગાં થયાં હતાં. એમનામાં કઈ વખત તકરારે, ઝઘડાઓ થતા કે ચોરી-ચપાટીના પ્રસંગે જણાતા ત્યારે સંઘપતિ શાંતિદાસની કુનેહ અને સમજાવટથી સંતેષકારક શાંતિ જળવાઈ રહેતી.”
અન્યત્ર પણ તેઓ જણાવે છે : “એમની (શાંતિદાસની) દોલત હવે કરોડોની ગણાતી હતી. એમણે પોતાના હાથે ખૂબ દાન કર્ણ, મંદિર બંધાવ્યાં, સંઘ કાઢયા હતા અને સાધુઓની સેવા કરી હતી. એટલું જ નહિ પણ દુકાળીયાએને નિભાવ્યાં હતાં. પાંજરાપોળ સ્થાપી હતી. મહાજનમાં તેઓ અગ્રપદે હતા. '
સમાજના ઝઘડાઓને નિવેડો લાવ, પાંજરાપોળને વહીવટ કરે, સાધુઓને મદદ કરવી – આ બધાં કાર્યો તેઓ સહજભાવે કરતા હતા તેને ખ્યાલ આપણને આ અવતરણ ઉપરથી આવી શકે છે. - તેઓ એક વેપારી હોવાના નાતે તથા વેપારની તેમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org