________________
વિમલવિજયના શિષ્ય રામવિજયજીએ રાજુલ દ્વારા સખીઓને કરાતા સંબોધનરૂપે વિરહોક્તિઓ આલેખી છે. વિનીતવિજયજીએ સંયોગશૃંગારની કોમળ ઇચ્છા વર્ણવી વિરહોક્તિને સચોટ બનાવી છે.
પિક જોવનના દિન જાય કે, અવસર લાહો લીજીયે રે. પિલ ! ફૂલમાળા સુકુમાળ કે, કુમલાયે તુજ કામિની રે પિઉ! દિન જાયે જનવાત કે, પણ નહિ જાયે યામિની રે.
(૨૨, ૨) એનો નેમકુમાર દ્વારા અપાયેલો ઉત્તર પણ લાક્ષણિક છે;
પિયા! એ સંસાર અસાર કે, મુગતિમંદિરમાં આવજો રે. આમ, અનેક કવિઓએ વિવિધ રીતે વિપ્રલંભ શૃંગારની કથનાત્મક અભિવ્યક્તિ કરી છે. એ સિવાય કેટલાક કવિઓએ મહાવીરસ્વામી, મલ્લિનાથ, આદિનાથ, શાંતિનાથ આદિ તીર્થકરોના જીવનચરિત્રના પ્રસંગો વર્ણવ્યા છે, તેમ જ અનેક સ્તવનોમાં વિવિધ તીર્થકરોના જીવનની કેટલીક વિગતો પણ ગૂંથી છે.
ચરિત્રપ્રધાન ચોવીશી પ્રકારમાં સામાન્યતઃ કવિ જે ચોક્કસ તૈયાર માળખું પસંદ કરતો હોય છે, તે અનુસાર જ તેને આલેખન કરવાનું હોય છે, પરંતુ કેટલાક સર્જકપ્રતિભાના સ્પર્શવાળા કવિઓએ પોતાના પસંદ કરેલા વિગતોના માળખાને યથાવત્ રાખીને તેમાં ભાવ, ભાષા અને ઊર્મિના આલેખન દ્વારા પોતાની રચનાને પ્રાણવાન બનાવી છે. કવિઓના આ સર્જનકર્મો પ્રમાણમાં વિગતપ્રચુર એવા આ સ્વરૂપને કાવ્યતત્ત્વની મનોહર છટા ધારણ કરાવી છે. આ સ્વરૂપમાં કથાત્મક સ્વરૂપના ઉઘાડની શક્યતા રહેતી હોવા છતાં, કોઈ કવિ તીર્થકરોનાં ચારિત્રોના કથાત્મક વિસ્તાર આલેખવા તરફ વળ્યા નથી. કદાચ, તે માટે તે કાળમાં પ્રચલિત રાસા, સક્ઝાય, ચરિત્ર જેવાં કથાત્મક સ્વરૂપોની જ સહાય લીધી છે. સ્તવનસ્વરૂપમાં મુખ્યત્વે તેમણે તીર્થકરોના ગુણકીર્તનની સાથે તેમના જીવનની વિગતોનું જ આલેખન કર્યું છે.
૨૬૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org