________________
વાણારસી નવરીમેં ઉદયો, જિમ દિનકર આકાશે.
(૭, ૧) ગજ ગતિ ગજ લંછન ધરું રે, બીજો એ જગદીશ.
(૨, ૫) વંશ ઈક્ષાગ દિવાકર બાવો, રાગ તિમીર શમવાને
(૫, ૩) તો ક્યાંક વિદગ્ધ કાવ્યશૈલી પણ જોવા મળે છે : અંગને રંગે ગંધ તરંગે નીલકમલ વન જયકારી
(૧૯, ૩) શ્રી મલ્લિનાથ ભગવાન નીલવર્ણના હોવાથી તેમના અંગનો રંગ ધારણ કરવાથી નીલકમલ પોતે પરમાત્મા જેવી જ સુગંધ ધારણ કરનારું અને સર્વ ફૂલોમાં શ્રેષ્ઠ સ્થાન પામનારું બન્યું.
૨૧ તીર્થકરોનો ઈક્વાકુ વંશ હોવાથી કવિએ પરમાત્માને વિવિધ સ્તવનોમાં ઇક્વાકુ વંશના શૃંગાર, સૂર્ણ ઈશ્વાકુ દ્રશ્નરૂએ સરુકર ચંદ્ર વંશરૂચ્છ કચ્છ માટે કલહંસ રૂછે સમુદ્રના સુરમણિ, વંશરૂપ મેરુપર્વત પરના કલ્પવૃક્ષ, ઋષભ વંશમાં મુક્તામણિ, વંશરૂપી ઘરમાં ઉત્તમ દીપક, ભૂષણ – અલંકાર, વંશરૂપ મલયાચલમાં ચંદન વૃક્ષ, મસ્તકના મણિ, ઈક્વાકુ વંશરૂપી ઉદયગિરિ પરના સૂર્ય જેવાં વૈવિધ્યસભર રૂપકોઉપમાઓ દ્વારા એકની એક વાતને વિભિન્ન રીતે આલેખવાના કાવ્યકૌશલ્યનો સુંદર પરિચય આપ્યો છે. કવિએ સુચારુરૂપે યોજેલા અલંકારો કાવ્યસૌંદર્યમાં વૃદ્ધિ કરે છે, જેમ કે – સુજસા જસવતી હુઈ જગમાં, જે જિનને જનમી ગુણવત.
(૧૪, ૨)માં અંતર્યામક દેવનંદન રૂપ નિહાળી દેવી પણ મોહંત રે.
(૧૮, ૨)માં શ્લેષ ગુણમણિ મંડિત દંડિત દુરમતિ, ખંડિત પાપ ઉપાયા. ભાવ કહે ભવમાંહિ ભમતાં, એ પ્રભુ પુયે પાયા.
(૧૩, ૫)માં વર્ણવૈભવ વંશ ઈક્વાગ ઉદય ગિરિ દિનકર, અવગુણ તિમિર નિકારે
(૨૩, ૨)માં વર્ણનો નાદવૈભવ નોંધપાત્ર છે. તદુપરાંત કવિએ અનેક સ્થળે લાંછનો અંગે પણ મનોહર ઉàક્ષા અલંકારો યોજ્યા છે.
આમ, ભાવવિજયજીની કાવ્યરચનામાં મનોહર કાવ્યાત્મક ઉન્મેષો પ્રાપ્ત થાય છે, પરંતુ અતિટૂંકાણને કારણે તીર્થકરોના જીવન અંગેનો કથાત્મક સ્પર્શ પ્રાપ્ત થતો નથી.
ભક્તિપ્રધાન ચોવીશીમાં મહત્ત્વનું પ્રદાન કરનાર યશોવિજયજીએ અઢારમા શતકના પ્રારંભે ચૌદ બોલયુક્ત ચરિત્રપ્રધાન ચોવીશી રચી છે. આ ચોવીશીમાં –
૩. યશોવિજયજી કૃત સ્તવનચોવીશી ચૌદબોલ યુક્ત) ભક્તિરસઝરણાં ભાગ-૧પૃ. ૮૪થી ૧૦૭ જૈન ગૂર્જર કાવ્યસંગ્રહ.
મા ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org