________________
પદ્રવિજયજી કૃત સ્તવનચોવીશી
પદ્મવિજયજી પોતાની વિવિધ કાવ્યરચનાઓ વડે પ્રસિદ્ધ એવા જૈન સાધુ છે. તેમનો જન્મ અમદાવાદના શ્રીમાળી વણિક ગણેશજી અને માતા ઝમકુને ત્યાં સં. ૧૭૯૨ (ઈ.સ. ૧૭૩૬)માં થયો હતો. ૧૩ વર્ષની બાળવયે તપાગચ્છના સત્યવિજયજીની પરંપરામાં થયેલ પ્રસિદ્ધ વિદ્વાન ઉત્તમવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી. ટૂંક સમયમાં જ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવાને લીધે વિજયધર્મસૂરિએ તેમની ૧૮ વર્ષની વયે પંડિતપદ આપ્યું. તેમણે અનેક કૃતિઓ સર્જી, તેમજ અનેક તીર્થોની પ્રતિષ્ઠા અને યાત્રા આદિ કાર્યો કર્યા. સં. ૧૮૬૨ (ઈ.સ. ૧૮૦૬)માં પાટણમાં તેમનો કાળધર્મ થયો.
તેમણે તેમનાથરાસ, ઉત્તમવિજય નિર્વાણરાસ, સમરાદિત્યકેવળી રાસ, મદન-ધનદેવરાસ, જયાનંદરાસ આદિ રાસ કૃતિઓ, નવપદપૂજા, સિદ્ધાચલ – નવાણુપ્રકારી પૂજા આદિ પૂજાઓ, ચોમાસી દેવવંદન તેમજ અનેક સ્તુતિ, સ્તવનો, સઝાયો રચ્યા છે. તેમણે બે ચોવીશીઓ પણ રચી છે, તેમાંની એક ચોવીશી મુખ્યરૂપે તીર્થકરોના કલ્યાણક આદિ વિગતો નિરૂપે છે, ત્યારે બીજી આ ચોવીશી અનેક આધ્યાત્મિક વિષયોનું આલેખન કરે છે.
કવિના હૃદયમાં પરમાત્માનું સર્વકર્મોથી રહિત, નિરંજન, નિરાકાર સ્વરૂપ વસ્યું છે. જ્ઞાનપ્રધાન ચોવીશીમાં આ નિરાકાર સ્વરૂપનો મહિમા વિશેષ રહ્યો છે. ભક્તિપ્રધાન ચોવીશીમાં વિશેષરૂપે તીર્થકરોના જગતુઉપકારક અષ્ટ પ્રતિહાર્ય સહિત સ્વરૂપનો મહિમા વિશેષ છે, એટલે તેનો સંબંધ સગુણ ભક્તિધારા સાથે વિશેષરૂપે રહે છે, જ્યારે તીર્થકરોના સિદ્ધસ્વરૂપનો મહિમા કરતી જ્ઞાનપ્રધાન ચોવીશીને નિર્ગુણ પરંપરા જોડે અનુસંધાન રહે છે. કવિ પ્રથમ સ્તવનમાં સિદ્ધસ્વરૂપને વર્ણવતાં કહે છે;
અવ્યય અચલ અર્ચિત અનંત છે, અશરીરી અન્નાહારીજી. અવિનાશી શાશ્વત સુખનો ધણી, પર પરિણતિ નિવારીજી.
(૧, ૨) પરમાત્મા વ્યય ન પામનારા, અચલ, અનંત, અશરીરી, અણાહારી, અવિનાશી, શાશ્વત સુખના સ્વામી ૨૩. ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૬૬ ૧થી ૬૮૫
મારા જ્ઞાનપ્રધાન ચોવીશી * ૨૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org