________________
જ છે. દા.ત. -
બશત્રુંજય શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે? પરમાત્માના સંધ્યાકાળના દર્શનને વર્ણવતું “આંગી'નું પદ પરમાત્માના રૂપને સુંદર રીતે વર્ણવે છે :
આજ જિનને અંગે આંગી ચમકે, મોતી હીરા ચાંદી ફૂલ મનોહર ચમકે,
રંગબેરંગી લાલ સુરંગી. વિશેષ પર્વ અવસરે થતા થાળને વર્ણવતા પદમાં વર્ણાનુપ્રાસથી મંડિત વાનગીની યાદી નોંધપાત્ર બની રહેતી હોય છે?
મારા નાનડિયાને ચોખ્ખા ચિત્તના ચૂરમા,
સુમતિસાકર ઉપર ભાવશું ભેળું ધરંત, ભક્તિ ભજિયાં પીરસ્યાં પારસકુમારને પ્રેમ,
અનુભવ અથાણાં ચાખો સરત. સંધ્યાકાળે થતી આરતીમાં પરમાત્માનો જયધ્વનિ પ્રગટ કરવામાં આવે છે. દા.ત. –
જય જય આરતી આદિ જિપ્સદા, નાભિરાયા મરુદેવી કો નંદા.” જૈન પરંપરામાં વિવિધ દ્રવ્યપૂજાની સાથે સાથે ભાવપૂજાનો મહિમા છે. આ ભાવપૂજામાં ચૈત્યવંદન નામનો વિધિ કરવામાં આવે છે. આ ચૈત્યવંદનની વિધિના પ્રારંભે ચૈત્યવંદન' તરીકે ઓળખાતી ટૂંકી રચનામાં મોટે ભાગે તીર્થકરોના જીવનની વિગતો વર્ણવાય છે.
દા.ત. - પદ્યવિજયજી કૃત શ્રી કુંથુનાથ ચૈત્યવંદન,
કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય. સિરિમાતા ઉરે અવતર્યો. સુર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીસ ધનુષની, લંછન જસ છાગ. કેવળજ્ઞાનાદિક ગુણા, પ્રણમો ધરી રાગ. ૨ - સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય.
પવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય. ૩ આમાં પરમાત્માની જન્મનગરી, માતા, પિતા, ઊંચાઈ, લંછન, આયુષ્ય આદિ જીવનસંબધી વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૯. વિવિધ પૂજાસંગ્રહ સં. લાલભાઈ મણિભાઈ શાહ પ્રકા. શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પૃ. ૯૪ ૧૦. સજ્જન સન્મિત્ર, યાને એકાદશ મહાનિધિ સં. પોપટલાલ કેશવજી દોશી. પ્રકા. પોતે ત્રીજી આવૃત્તિ સં. ૨૦૨૧. - પૃ. ૬૩૧ ૧૧. સજ્જન સન્મિત્ર, સં. પોપટલાલ કેશવજી દોશી. પૃ. ૪૩૨ ૧૨. સજ્જન સન્મિત્ર, સં. પોપટલાલ કેશવજી દોશી. પૃ. ૬૩૦ ૧૩. શ્રી પદ્મવિજયજી કૃત ચૌમાસી દેવવંદન (શ્રી મેરુસચિત્ર દેવવંદન માળા, સં. સિંહસેનસૂરિ, પ્રકા. આચાર્યશ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ, અમિયાપુર - અમદાવાદ પૃ. ૬૩)
મા ચોવીશી: ઉદભવ અને સ્વરૂપ - ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org