SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સભર હોય એ જરૂરી છે. એમાં કાવ્યનું રહસ્ય સચોટપણે આલેખાયેલું હોવું જોઈએ. “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ', પાર્શ્વશંખેશ્વરા સાર કર સેવકાં', “તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહિ, “અભિનંદન જિન દરિસણ તરસિમેં દરિસણ દુરલભ દેવ આદિ સચોટતા અને ગેયતાની દૃષ્ટિએ ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. કેટલીક વાર ધ્રુવપદ તરીકે પ્રાસના પૂરક શબ્દો પણ કામ આપતા હોય છે. શ્રી અનંતજિન શું કરો સાહેલડિયાં, ચોલમજિઠનો રંગ ગુણવેલડિયાં.” સામાન્ય રીતે પદ ટૂંકું હોય છે અને ત્રણ-ચાર કડીઓમાં વિસ્તરતું હોય છે. પદનું અન્ય વિશેષ તત્ત્વ છે તેમાં સધાતી ભાવ અને લયની એકતા. ધ્રુવપંક્તિથી આરંભાયેલા લય અને ભાવ પદમાં વિવિધ રીતે ચૂંટાતા રહે છે. દા.ત. - મુખડાની માયા લાગી રે, મોહન ! તારા મુખડાની માયા લાગી રે.. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. મન મારું રહ્યું ન્યારું રે. ભક્તિ આંદોલનના વ્યાપક પ્રભાવ હેઠળ વિવિધ સંપ્રદાયોમાં ભક્તિનો મહિમા અને પ્રસાર વધ્યો. દેવસ્થાનોમાં વિવિધ સમયનાં દર્શન-અર્ચન-પૂજા આદિ ભક્તિ-અનુષ્ઠાનોના સમયે ગવાતાં પદોની રચના થતાં પદસ્વરૂપનો વિકાસ થયો. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનાં છ સમયનાં દર્શનો, આરતી અને મનોરથને અનુલક્ષીને, વિવિધ પર્વો અનુસાર થાળ-અન્નકૂટ, શણગાર વિષયનાં પદોની રચના થઈ. સ્વામિનારાયણ, શૈવ આદિ પરંપરાઓમાં પણ આ સંદર્ભે પદસાહિત્ય વિકસ્યું. જન્માષ્ટમી, હોળી, દિવાળી આદિ પર્વો અને વસંત-વર્ષા આદિ ઋતુઓના ઉપલક્ષે પણ અનેક પદો રચાયાં. જૈન પરંપરામાં દેવવંદન, પૂજા, આરતી, થાળ અને પર્વોમાં પર્યુષણ, દિવાળી આદિ સંદર્ભે પદરચનાઓ થઈ. જૈન મંદિરોમાં પ્રાતઃકાળે ગવાતી સ્નાત્ર પૂજા પરમાત્માનો વિધિ-વિધાનયુક્ત અભિષેક) વાસ્તવમાં પદસમૂહ જ છે. દા.ત. – “તદા ચિંતે ઈંદ્ર મનમાં “કોણ અવસર એ બન્યો !” જિન જન્મ અવધિનાણે જાણી હર્ષ આનંદ ઉપન્યો.' વિશેષ અવસરે મંદિરોમાં ભણાવાતી પૂજાઓ પણ મંત્રો અને શ્લોકો સાથે સંકલિત થયેલો પદસમૂહ ૩. ઉદય અર્ચના સં. કાંતિભાઈ બી. શાહ અને કીર્તિદા શાહ પ્રથમવૃત્તિ પૃ. ૧૪૦ ૪. ગુજરાતી ઊર્મિકાવ્યો, સં. જયંત પાઠક, રમણ પાઠક પૃ. ૭ ૫. આનંદઘન કૃત સ્તવનચોવીશી, રૂ. ૪ ભક્તિરસઝરણાં ભાગ-૧, સં. અભયસાગરજી પ્રથમવૃત્તિ પૃ. ૩. ૬. યશોવિજયજી કૃત સ્તવનચોવીશી, સ. ૧૪ ભક્તિરસઝરણાં ભાગ-૧, સં. ૫. અભયસાગરજી પ્રકા. પ્રાચીન શ્રુત સંરક્ષક સમિતિ, કપડવંજ. પૃ. ૪૬ ૭. મીરાંનાં પદો સં. ભૂપેન્દ્ર ત્રિવેદી. પૃ. ૧ ૮. સજ્જન સન્મિત્ર યાને એકાદશમહાનિધિ - સંગ્રાહક: પોપટલાલ કેશવજી દોશી, પ્રકા. પોતે, ત્રીજી આવૃત્તિ, સં. ૨૦૨૧, પૃ. ૬૨૨ ૬ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy