________________
અત્યંતર પ્રાપ્ત કરે. ચક્રવર્તીથી જેમ વિશ્વનો કોઈ દેશ જીતવાનો બાકી રહેતો નથી, તેવી જ રીતે પ્રભુનાં કોઈ કર્મ જિતાવાનાં બાકી રહ્યાં નથી.
આમ, પ્રભુએ ધર્મચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું છે અને તેઓ જ મારા અંતરને જાણનારા, મારા હૃદયના પણ સ્વામી છે.
કવિએ કેટલીક રચનાઓમાં પરંપરાગત અલંકારોની એક ભવ્ય શ્રેણી રચી છે, એનો પ્રવાહ ભાવકને મુગ્ધ કર્યા વિના રહેતો નથી. વીતરાગ પરમાત્મા અને અન્ય દેવો વચ્ચે સરખામણી કરતાં કહે છે,
કિહાં સાયર કિહાં છિલ, કિહાં દિનકર ખદ્યોત. કિહાં ઘુતપુરને કુસકા, કિહાં મૃગપતિ મૃગપોત. ૩ કિહાં તારાપતિ તારિકા, કિહાં ચિંતામણિ કાચ. કિહાં ચંદન કિહાં આકડો, કિહાં કક્કર કિહાં પાચ.’ ૪
(૨૧, ૩) ક્યાં સાગર અને ક્યાં ખાબોચિયું? ક્યાં સૂર્ય અને ક્યાં આગિયા ? ક્યાં ઘેવર અને ક્યાં ભાતનાં છોતરાં? ક્યાં સિંહ અને ક્યાં હરણનું બચ્ચું? ક્યાં ચંદ્ર અને ક્યાં ઉલ્કા ? ક્યાં ચિંતામણિરત્ન અને ક્યાં કાચ? ક્યાં ચંદનનું વૃક્ષ અને આકડો ? ક્યાં કાંકરા અને ક્યાં નીલમ ? કવિએ શ્લેષ અલંકારની મનોહર ગૂંથણી પણ સ્થળે સ્થળે કરી છે,
જીહો ! શ્રીનંદનપણે રૂપનો, જીહો પાર ન પામે કોય. જીહો ! ઈશ્વર સવિ સેવા કરે, એહી જ અચરિજ હોય.'
(, ૧૭, ૩) કુંથુનાથ પરમાત્મા શ્રીદેવીમાતાના પુત્ર છે, બીજા અર્થમાં શ્રીનંદન' કહેતાં કામદેવ છે. તેના રૂપનો પાર કોઈ પામી શકતું નથી. તેમની સર્વ ઈશ્વર સર્વ દેવતાઓ) સેવા કરે છે, (અન્ય અર્થમાં તેમના ઈશ્વર નામના અધિષ્ઠાયક દેવતા સેવા કરે છે. તે મોટું આશ્ચર્ય જ છે. અહો ! ભવ વિણ તું હિ મહેશ છે, જીહો અશરણ શરણ કહાય.'
(૩, ૧૭, ૫) પરમાત્મા મોક્ષે ગયેલા હોવાથી “ભવ વિનાના છે, શંકર મહેશનું બીજું નામ “ભવ છે. પરમાત્મા ભવ વિનાના હોવા છતાં મહેશ” કહેવાય છે એ આશ્ચર્યજનક છે. કવિ પરમાત્માની આંખોનું વર્ણન કરતાં મનોહર રૂપક પ્રયોજે છે, ઉપશમરસનો કુંડ છે, નિરૂપમ તુજ નયણાં.'
(G, ૧૮, ૨) પરમાત્માના ગુણોની અનંતતા દર્શાવતાં કહે છે,
જિન ! ગુણ તાહરા રે, લખિયા કિમતિ ન જાય. ભવને ભવાંતરે રે, પાઠ પણ ન કહાય.’
(૩, ૧૪, ૩)
૧૨૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org