SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિ જ નહિ, પરંતુ તપ, જપ, સાધુ-શ્રાવક જીવનનાં વ્રતો તમારા ગુણધ્યાનના નિમિત્ત બનનારા હોવાથી જ ફળે છે, એમ કહી પરમાત્માને જ મોક્ષમાર્ગના શ્રેષ્ઠ ઉપાય તરીકે વર્ણવે છે. તપ જપ કિરિયા ફળ દીયે, તે તુમ ગુણધ્યાન નિમિત્ત હો.” વિહરમાનસ્તવન-૬). આવા અનેક ગુણોના ભંડાર ગુણનિધાન પરમાત્મા પ્રત્યે કવિને પરમ અનુરાગ છે. આ અનુરાગથી તેમ જ પ્રભુની સર્વશ્રેષ્ઠતાના જ્ઞાનને કારણે કવિ તીર્થંકર પરમાત્માને સૌ મુનિપતિઓ (ધર્મોપદેશકો)માં સર્વશ્રેષ્ઠ ગણાવે છે. પ્રભુની સર્વશ્રેષ્ઠતા વર્ણવવા કવિ ઉપમાઓની એક ભવ્ય માળા સર્જી દે છે. વામાનંદન જિનવર, મુનિવરમાં વડો રે કે. મુનિ જિમ સુરમાંહિ સોહે સુરપતિ પર વડો રે કે. સુર જિમ ગિરિમાંહે સુરાચલ, મૃગમાંહે કેસરી રે. મૃગ જિમ ચંદન તરુમાંહે, સુભટ માંહિ મુર-અરિ રે. સુભર૦ ૧ નદીયાંમાંહિ જિમ ગંગ, અનંગ સુરૂપમાં રે, અનંગ, ફૂલમાંહિ અરવિંદ, ભરતપતિ ભૂપમાં ૨. ભરત ઐરાવણ ગજમાંહિ ગરુડ ખગમાં યથારે કે. ગરુડ તેજવંતમાંહી ભાણ, વખાણમાં જિનકથા કે. વખાણ૦ ૨ મંત્રમાંહિ નવકાર, રતનમાંહી સુરમણી રે કે. રતન, સાગરમાંહિ સ્વયંભૂ-રમણ શિરોમણી રે કે. રમણ, શુક્લધ્યાન જિનધ્યાનમાં, અતિનિરમળપણે રે કે. અતિ શ્રી નયવિજય વિબુધ પયસેવક ઈમ ભણે રે. સેવક. ૩ (, ૨૩) દેવોમાં ઇંદ્ર, પર્વતમાં મેરુપર્વત, વૃક્ષોમાં ચંદનનું વૃક્ષ, યોદ્ધાઓમાં શ્રીકૃષ્ણ, નદીમાં ગંગા, સ્વરૂપવાનમાં કામદેવ, ફૂલોમાં કમળ, હાથીમાં ઐરાવત, પક્ષીઓમાં ગરુડ, તેજસ્વીઓમાં સૂર્ય જેવી લોક-પ્રસિદ્ધ પરંપરાગત ઉપમાઓની સાથે જ કવિ પ્રવાહમાં વ્યાખ્યાનમાં જિનકથા, રાજાઓમાં ભરત, મંત્રમાં નવકાર, સાગરમાં સ્વયંભૂરમણ સમુદ્ર અને ધ્યાનમાં શુક્લધ્યાન જેવી જૈન પરંપરા સંબંધિત ઉપમાઓ ગૂંથી લઈ ઉપમાઓનો એક ભવ્ય પ્રવાહ સર્જે છે. આ ભવ્ય પ્રવાહ ભાવકને મંત્રમુગ્ધ બનાવે છે અને કવિહૃદયમાં ઊછળતા ભક્તિના ભવ્ય તરંગોનો ખ્યાલ આપી દે છે. આ સ્તવન અંગે શ્રી કુંદકુંદ વિજયજીએ પણ મૂલ્યવાન વાત રજૂ કરી છે, “સાચી ભક્તિમાંથી જન્મેલા શ્રેષ્ઠ ઉગારોની ઉજ્વળ હારમાળા ૨૩મા સ્તવનમાં છે. એક એક જે ઉપમા આ સ્તવનમાં છે, તેના ઉપર વધુ ને વધુ ચિંતન-મનન કરવાથી શ્રી ત્રિભુવનપતિ તીર્થંકર પરમાત્માના પરમ ઉપકારી સ્વરૂપમાં અપૂર્વ લગની પેદા થાય છે.' પરમાત્માની શ્રેષ્ઠતા જોઈ કવિહૃદયમાં ઉત્કટ ગુણાનુરાગ ફુર્યો છે. ૩૬ શ્રી યશોવિજયજી મ. કૃત સ્તવનચોવીશી પૃ. ૧૭ પ્રકા. ભક્તિ પ્રકાશન મંદિર, અમદાવાદ, ૨ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy