________________
માહરું તો મન ધૂરિ થકીજી, હળઉં તુજ ગુણસંગ.'
(, ૨, ૩) તુજગ્યું પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુમ ગુણશ્ય રહ્યો માચી.
(૩, ૧,૧) હવે મન રાત-દિવસ પળ-પળ પ્રભુના ગુણ ગાવા ઇચ્છે છે,
તુમ ગુણગણ ગંગાજળ, હું ઝીલી નિરમળ થાઉં રે, અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે.’
(૦, ૨૪, ૨) આ ગુણાનુરાગમાંથી - ગુણમાંથી જન્મેલી પ્રીતિને કારણે ભક્તને પળભર પણ પરમાત્માનું વિસ્મરણ થતું નથી.
સાસ પહિલા સાંભરે રે, મુખ દીઠે સુખ હોય. વિસર્યા નવિ વિસરે રે, તેહર્યું હઠ કિમ હોય રે ?”
(૩, ૧૨, ૨) મનમાં પ્રભુદર્શનની જે તીવ્ર ઝંખના જાગી છે તેને વર્ણવતાં કહે છે;
અણદીઠે અલજો ઘણો, દીઠે તે તૃપતિ ન હોઈ રે. મને તોહિ સુખ માની લીયે, વાહલા તણું મુખ જોઈ.
(, ૯, ૨) જોયા નથી ત્યારે વિરહનું ઘણું દુઃખ છે અને જ્યારે મિલન થાય છે ત્યારે અમૃત ઝરતા ચંદ્ર સમા એ મુખને સતત જોયા જ કરવાનું મન થાય છે. તૃપ્તિ થતી જ નથી. તો ય મન છેલ્લે પ્રિયતમનું મુખ જોવા તો મળ્યું એમ માની સંતોષ માની લે છે. આ હૃદયગત સ્નેહના રંગને કવિ લોકજીવનની અને શાસ્ત્રોની સુંદર ઉપમાઓ વડે આલેખે છે;
સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ તેલ બિંદુ જેમ વિસ્તરે, જળમાંહી ભલી રીતિ. ૧
સોભાગી જિનશું લાગો અવિહડ રંગ. સજ્જન શું જે પ્રીતડીજી, છાની તે ન રહાય. પરિમલ કસ્તુરી તણોજી, મહી માંહે મહકાય. ૨ અંગુલીયે નવિ મેરુ ઢંકાયે, છાબડીયે રવિ તેજ. અંજલીમાં જિમ ગંગ ન માએ, મુજ મન તિમ પ્રભુ હે જ. ૩ હુઓ છીપે નહી અધર અરૂણ જિમ, ખાતા પાન સુરંગ પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. ૪ ઢાંકી ઈશુ પાલગુંજી, ન રહે લહી વિસ્તાર વાચક જશ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. ૫
(, ૫) આવા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org