________________
મુખ મટકે ગમોહિઓ રે લાલ, રૂપરંગ અતિ ચંગ. લોચન અતિ અણિયાલડાં રે, વાણી ગંગતરંગ.’
(, ૧૫, ૨) તીર્થકરોનું રૂપ આકર્ષક હોય છે. એ જ રીતે તેઓની બાહ્ય શોભા અશોકવૃક્ષ, સિંહાસન, દિવ્યધ્વનિ આદિ પ્રાતિહાર્યોની શોભા પણ અત્યંત મોહક હોય છે, તેને વર્ણવતાં કહે છે;
દિવ્યધ્વનિ સુરકૂલ, ચામર છત્ર અમૂલ; આ જ હો રાજે રેભામંડલ ગાજે દુંદુભિજી.
(૪, ૭, ૨). સિંહાસન અશોક, બેઠા મોહે લોક.
(૪, ૭, ૫) આવી અલૌકિક શોભા ધારણ કરનારા પ્રભુ ત્રિભુવન ઠાકુર’ ત્રણભુવનના સ્વામી તરીકે અનુભવાય છે;
શ્રી સુપાર્શ્વ જિનચજ, તું ત્રિભુવન શિરતાજ આજ હો છાજેરે, ઠકુરાઈ પ્રભુ તુજ પદ તણીજી.'
|
(વર, ૭, ૧). જગત-નાયકના અપૂર્વ વૈભવ સામે કવિ વિરોધાભાસ અલંકાર પ્રયોજી તીર્થંકરની આંતરિક ગુણસમૃદ્ધિ સુંદર રીતે પ્રગટાવે છે;
શિર છત્ર વિરાજે રે, દેવ દુદુભિ ગાજે રે, ઠકુરાઈ ઈમ છાજે, તોહિ અકિંચનો રે.’
(, ૧૬, ૧) મસ્તક પર દેવદુદુભિ અને ત્રણ અલૌકિક છત્રો ત્રિભુવન પ્રભુતાનું સૂચન કરનારા હોવા છતાં પ્રભુ અકિંચન-ત્યાગી તરીકે ઓળખાય છે. તે ઉપરાંત બ્રહ્મચારી શિરોમણિ' તરીકે ઓળખાતા હોવા છતાં વાસ્તવમાં સ્થિરતા, ઘુતિ અને સમતારૂપી સ્ત્રીઓને પરણેલા છે. આમ, વિરોધાભાસ અલંકાર દ્વારા પરમાત્માની ગુણસમૃદ્ધિ પર પ્રકાશ પાથરતા કવિ કહે છે;
જગજનમન રેજે રે, મનમેથ બળ ભંજે રે, નવિ ચગ, ન દોસ, તું અંજે ચિત્તર્યું રે.
(૩, ૧૬, ૧) આવા ગુણનિધાન પરમાત્માની વાણી પણ અતિશય મનોહર છે. કવિ કહે છે;
મીઠી હો પ્રભુ મીઠી તાહરી વાણી, લાગે હો પ્રભુ લાગે જેસી શેલડીજી'
(૪, ૪, ૧) આ મધુર વાણી ભવરોગમાં શીતળતા દેનારી હોવાથી કવિ તેને માટે ચંદનની ઉપમા પ્રયોજે છે;
અભિનંદન ચંદન શીતલ વચન વિલાસ.'
(ા, ૪,૧)
©
ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org