________________
( ૧૮ )
વિશ્વ રચના પ્રબંધ. સ્વભાવવાળે છે, અને દરેક ભારે વસ્તુને નીચે પડવાને સ્વભાવ છે.
પ્રિન–તમે ધુમાડાને ઉદર્વગામી કહે છે અને વાયુને ત્રાંસી ગતિવાળે જણાવે છે, પણ તે સાચું કેમ મનાય ? કારણ કે–પૃથ્વીની ગતિ માનનાર કહે છે કે, પૃથ્વી ધીઉતાવળા વાયુ સાથે એક મિનિટમાં સત્તર માઈલ જાજેરી ફરે છે, છતાં વાયુના ધસારાથી મૂળ વેગમાં વૃદ્ધિ થતી નથી. વાયુ સ્પશદિથી જણાય છે, અને પૃથ્વીથી ૪૫૫૦ માઈલ ઉચે સુધી પૃથ્વી સાથે રહે છે.
ઉત્તર–તમે કહેલ માપ જેટલું ઉંચો વાયુ હોય તેવું કાંઈ છે જ નહીં. વળી પ્રથ્વી સાથે વાયુ ફરતે જાણે છે. કદાચ તેમ હોય તે દવા વગેરે એકજ દિશામાં ફરકે, બીજી દિશામાં ફરકેજ નહીં. વાયુ પણ એક ત૨ફનોજ વાય. વળી વટાળીયે, વાવાજોડું, શીયાળુ પવન વગેરે વાયુની ઉત્પત્તિ થાયજ નહીં; અને મંદ, મધ્યમ, કે ઉતાવળે વાયુ પણ ન હોય. વળી વાયુશાસ્ત્રી જણાવે છે કે વધારેમાં વધારે વાયુની ગતિ એક મિનીટમાં બેજ માઇલની હોય છે, તે પછી પૃથ્વી એક મિનીટમાં પોતાની ધરી પર સત્તર માઈલ અને સૂર્યની આસપાસ હજાર માઈલ ફરે છે તેની સાથે વાયુને વેગ પણ તેટલેજ મનાતાં આ કેમ સંભવેજ ? તથા જેમ ફરફરીયું કે પંખાને ચલાવતાં–હલાવતાં તેમાંથી ન વા ઉત્પન્ન થાય છે તેમ પૃથ્વીની બે ગતિથી એક તરફેણનો નવી ઢંગનો વિચિત્ર વાયુ ઉત્પન્ન થવે જોઈએ; અને ધીર, મંદ, શીત, ઉષ્ણ ને દિશેદિશીના વાયુના ફેરફાર ન જ થવા જોઈએ. આ વાતનો ખુલાસામાં શ્રીપતિ પણ એવી શંકા ઉભી કરે છે કે માનनितेन समीरणेन केत्वादयोऽप्यपरदिग्गतयः सदा स्युः से પ્રમાણે થવું જોઈએ, પણ તેમ નથી બનતું. પૃથ્વી ફરતી નથી, તેથી વાયુ ગમે તે દિશાને વાય છે.
પ્રન–વટેળીયે જેમ ધૂળને ઉંચે લઈ જાય છે તેમ વાયુ પણ પૃથ્વીનું આકર્ષણ તેડી ધુમાડા કે વરાળને ઉંચે લઈ. જાય છે, એમ કેમ ન મનાય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org