________________
નિવેદન કર્યું.
( ૭ ) - ખરે? વળી પાણીમાં તેલ કે ઘી નાખતાં ઘી કે તેલ ઉપર રહે છે, પાણી નીચે રહે છે. પાણીમાં ગમે તેવું ભારે લાકડું નાખે. તો પણ તે પાણી ઉપર રહે છે, કે જેની ઉપર મકાન, પૂલ, ઘર કે વાડી બાંધવામાં આવે છે. આકર્ષણ સિદ્ધાંતમાં આ ફેરફાર કેમ બની શકે છે ?. માટે આકર્ષણ એ એક કલપનાપાઠ છે.
પ્રશ્નધુમાડા જેવી અલ્પ રજકણવાળી વસ્તુને પૃથ્વી પિતાની તરફ ઓછા જોરથી ખેંચે છે, પણ જેમાં વધારે રજકણે હોય તેને પૃથ્વી પોતાની પ્રત્યે વધારે જોરથી ખેંચવાની, એ આકર્ષણ નિયમ છે, તેથી ધુમાડાને ઉંચે જવા દે છે.
ઉત્તર–કદાચ એમ માનીયે તે પણ વિરોધ તે રહેલ છે. કારણ કે પહેલાં વસ્ત્રમાં જે ભાર હતું તે કરતાં બન્યા પછી, તેમાં છે ભાર પણ રહેતું નથી, અને ધુમાડામાં વધારે ૨જકછે રહે છે. તે તમારા કથન પ્રમાણે તે રાખ આકાશમાં ચાલી જવી જોઈએ, અને ધુમાડે પૃથ્વી તરફ ખેંચાવા જોઈયે, પણ તેમ બનતું નથી. ઉલટા રાખના રજકણે અ૯૫ રહેવા છતાં– હળવા હોવા છતાં, જાળીના છિદ્રોમાંથી કુવામાં નીચે પડે છે, પણ ધુમાડે તે પૃથ્વીના મધ્યબિંદુ તરફ જતો નથી. વળી વરાળ રૂપ ધુમાડાને ઉગામી સ્વભાવ હોવાથી બલુન જેવી ભારે વસ્તુને પણ ઉંચે ખેંચી જાય છે.
પ્રશ્ન–બલુનનું ઉર્ધ્વગામીપણું વાયુથી છે, પણ તેમાં વરાળ દેખાતી નથી. બલુનમાં વા હોય છે પણ વરાળ ન હોય.
ઉત્તર–પ્રથમ તે બલુન આદિના વાયુને તાપ વડે પાનતળો વરાળરૂપ બનાવતા હતા ત્યારે બલુન ઉડી શકતું હતું, પછી રાબ પાણી, ગંધક અને તેલના સંગે નવી વરાળની. શોધ કરી, જે ધુમાડા સ્વરૂપ હોવા છતાં તેની હાઇડ્રોજન વાયુ માત્ર એવી સંજ્ઞા રાખવામાં આવી છે. એ હાઈડ્રોજનના બળથી બલુન ઉડાડી શકાય છે. હાઈડ્રોજન કાઢી નાખતાં અધેગામી સ્વભાવથી બલુન નીચે આવી પડે છે. પ્રમાણુ સહસ્ત્રીકાર પણ પાણીની વરાળને ઉર્ધ્વગામી જણાવે છે, તે વાયુથી. પણ હલકી છે, તેને વાયુ ન કહેવાય. તેથી ધુમાડા ઉગમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org