________________
( ૯૦ )
વિશ્વરચના પ્રબંધ. અને રવિમાં આકર્ષણ માનવાથી આ કડાકુટની સાબીતી ઉભી રહે છે, પણ ઉપલી અને ક્રિયાઓ થતી નથી, તે આ ગણના સત્ય કેમ કરે ?
વિદ્યાથી–આ ગણનામાં તે વર્ષ પ્રકાશ ગણિતની સ હાય છે. સૂર્યમાળાની અસત્યતા સાબીત થવા છતાં આ ગગુનામાં ફેર પડવાની સંભાવના રહેતી નથી. રેટિના પ્રયોગથી શેવાયું છે કે પ્રકાશને વેગ દર સેકંડે ૧૮૬૦૦૦ માઈલ છે, હવે બૃહસ્પતિ ને તેના ચંદ્ર પરથી સૂર્યના પ્રકાશને અહીં આવતાં ૮ મીનીટ લાગે છે. પહેલી જાતના તારાને પ્રકાશ આવતાં ૧૫ મીનીટ, બારમી જાતિને ૩૫૦૦ ને અતિ રે ૧૪૦૦૦ વર્ષ લાગે છે એ શોધાયું છે, તે સેકંડ ગતિ માઈલ ને મીનીટની ત્રિરાશિ કરતાં સૂર્ય અહીંથી લા. કરોડ માઈલ દૂર છે, તે પાસેમાં પાસે ૯૧૧૦૦૦૦૦ માઈલ ને દરમાં દૂર ૯૪૬૦૦૦૦૦ માઈલ રહે છે.
અધ્યાપક–તમે પણ કબુલ કરશે કે આ વાતને પણ સૂર્યમાળા સાથે સંબંધ છે. કારણ કે-વર્ગ મહત્વ કે જાતિ એ સૂર્યમાળામાં સંજ્ઞાઓ છે. તે સૂર્યમાળાના વૃથા વાદમાં ઉપલી વાતને પણ પાચું પરખાવવું પડે છે, તેમજ પ્રકાશ પરથી પણ આ કથન અસત્ય કરે છે. સૂર્યના પ્રકાશને અહીં આવતાં જરા પણ વાર લાગતી નથી. આકાશમાં વાદળાં જેમ ચાલે છે તેની છાયા પણ તેની સાથે ગમન કરે છે, ને પછ. વાડે સૂર્યને પ્રકાશ અવિલંબે પડયા કરે છે, આમાં કાંઈ પણ તફાવત પડતું નથી. ઉદાહરણ તપાસીયે તો વીજળીને ઝબકારે તુરત આપણે નીરખી શકીયે છીયે. જો કે ગરવ માટે વિજળી થયા પછી ઘણે વખત ચાલ્યા જાય છે, પણ પ્રકા શના ચમકારાની આપણને તુરત અસર થાય છે. વિદ્યત્માછલી -ઝગમગવાળી માછલીના પ્રકાશથી પણ પ્રકાશ ગતિમાં કાળક્ષેપ કલ્પી શકાતું નથી, તેમ રવિને દેખતાંની સાથેજ આપણે તેના પ્રકાશને દેખીયે છીયે. દીવાને પ્રકાશ પાસેના ભાગમાં અતિશય, અને દુર ભૂમિમાં ઓછો દેખાય છે તેમ માત્ર સૂર્યમાં ફેરફ઼ાર જણાય, બાકી પ્રકાશને આવતાં અંતર છે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org