________________
નીતિશાસ્ત્રપ્રવેશ ઘણા દિવસ રહેવાથી સ્વકીય સંસ્કૃતિએ ચિત્ત માં સ્થિર કરેલા નીતિતત્ત્વનો રંગ પલટાય છે, માટે સામાન્ય માણસ પરકીય સંસ્કૃતિને દૂરથી જ નમસ્કાર કરે એ જ ઠીક. હાલનું દૃષ્ટાંત જોવું હોય તે જર્મની તરફ જેવું. જર્મનીના છેલ્લા બાદશાહ
સરને કે વરિષ્ઠ અધિકારીઓને લેકમાં જેવી નીતિમત્તા હોવાની જરૂર જણાઈ હતી, તેવી ઉત્પન્ન કરવાને તેમણે તેવી જ શિક્ષણવ્યવસ્થા સ્થાપી હતી. અને આપણે જાણીએ છીએ કે, પુસ્તક દ્વારા, વ્યક્તિ દ્વારા, સંસ્થા દ્વારા પોષણ મળવાથી તે નીતિમત્તાને તેમની ઈચ્છા પ્રમાણેનું સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું હતું.
નીતિવિષયક કલ્પનાની રાજકાર્ય પર કેવી અસર થાય છે તે વિષેનાં પુરાણ અને ઈતિહાસનાં દૃષ્ટાંત અતિ બેધપ્રદ છે. પાંડવોએ રાજનો ત્યાગ કર્યો –કેમ? તો મોટા ભાઈએ જુગારમાં રાજ ઈ દીધું હતું અને એ વચન તોડવામાં તેમને પાપ લાગતું હતું. હરિકે તો સ્વમમાં આપેલા વચનનું સ્મરણ કરી પોતાનું રાજ એક ઋષિને સ્વાધીન કર્યું હતું. આમાં વ્યકિતવિષયક નીતિમત્તા રાજકાજમાં પણ વ્યક્ત થઈ છે. ઈતિહાસ તરફ જોતાં જણાય છે કે, જેમ ધનત્યાગ કરીને પણ સ્વદેશની ઉન્નતિ કરવા ઈચ્છનાર નરણ પ્રત્યેક દેશમાં જણાય છે, તેમ બીજા દેશ પર સવારી કરી લૂંટ કરી જનારા પણ તે જ દેશમાં અને તે જ કાળમાં નીકળ્યા છે. એનો અર્થ એ છે કે, ઘણાંખરાં રાષ્ટ્રની નીતિમત્તા સ્વદેશમાં સત્ય અને ન્યાયને માન આપે છે, પણ દેશની બહાર “બળિયાના બે ભાગ” એ જ ન્યાયે પ્રવર્તે છે! આપણું મિત્ર સાથેના વર્તનમાં આપણે જે બંધનનું પાલન કરીએ છીએ, જે ઉદારતા વ્યક્ત કરીએ છીએ, તે પરકીય સાથે કરતા નથી અને તેમાં કંઈ ખોટું પણ ગણાતું નથી. એ ન્યાયે વ્યક્તિવિષયક નીતિમત્તાનાં તો પરકીય રાષ્ટ્ર સાથે વ્યવહાર કરવામાં પાળવાં જ જોઈએ એમ કંઈ નથી. પણ કેટલાંક નીતિત એવાં છે કે તેને રાષ્ટ્ર રાષ્ટ્રના વ્યવહારમાં પણ ભંગ ન થવો જોઈએ એમ કેટલાકનું કહેવું છે. હાલમાં જેને આંતરરાષ્ટ્રીય કાયદા કે ઠરાવ (International Laws) કહે છે, તેમાં આ મૂલભૂત તત્વ ગર્ભિત છે. એ કાયદાનાં બંધન કેટલે સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org