________________
નીતિશાસ્ત્ર પ્રવેશ પુસ્તકમાં લખે છે કે, માણસની નીતિમત્તા તેના 1. મૂળ સ્વભાવ પર એટલે પ્રકૃતિ પર, ૨. આદત પર અને ૩. બુદ્ધિવિકાસ પર અવલંબી રહે છે. તેમાં મૂળ સ્વભાવ તે આ જન્મમાં પરિવર્તન પામવાને સંભવ હોતું નથી. બહુ તે તેને ટેવ અને વિચારથી નિયમનમાં મૂકી શકાય. ટેવ કેવી પડવી જોઈએ અને કેવી ન પડવી જોઈએ તે કેટલાક અંશે રાજકીય સંસ્થાને આધીન જ હોય છે. બીજી એક એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે નીતિમત્તાને આધાર પરિસ્થિતિ પર ઘણું જ અંશે હોય છે. દારિદ્ર કે દામ્યત્વ પ્રાપ્ત થવા છતાં “સત્ય” નહિ ત્યજનાર હરિશ્ચંદ્ર જેવો શ્રેષ્ઠ પુરુષ કદી અને કોઈ પણ સ્થળે વિરલ જ હોય. પ્રતિકુલ પરિસ્થિતિમાં વર્તનમાં ઉચ્ચ તત્વ ઉતારવાનું કામ સહેલું નથી. સાધારણ માણસની એવી સ્થિતિ હોય છે કે, તેની પ્રકૃતિરૂપી મૃત્તિકાને પરિસ્થિતિરૂપ કુંભારણ જે આકાર આપે છે, તે જ આકાર માણસ સ્વીકારે છે. રાષ્ટ્રમાં ઘણા દિવસ સુધી જ્યાં ત્યાં લૂંટફાટ, ખૂન, અંધેર વ્યાપી રહે છે, ત્યારે બીજાનું ધન વિનાભયે લૂંટવાની તક મળ્યા પછી સાધારણ માણસ એ લેભ તજતો નથી અને એ કૃત્ય માટે તેને ખોટું પણ લાગતું નથી; ઊલટું તે કહેશે કે બીજા ખૂન કરે છે, ધાડ પાડે છે તેમના જેવું મા કૃત્ય નથી ! જે રાષ્ટ્રમાં કોઈ પણ માણસને પ્રમાણિક વર્તન રાખવાથી યોગ્યતા પ્રમાણે કામ મેળવવામાં મુશ્કેલી રહેતી નથી, તે રાષ્ટ્રના સ્વાભિમાની નાગરિક પોતાના ઉપરીઓની ખુશામત કરી શકશે નહિ અને તેમણે કરેલું અપમાન પુષ્પાંજલિ પ્રમાણે ગણી શાંત બેસી રહેશે નહિ; પણ જે દેશના લોકોને સ્વદેશમાં માન નથી, તેમને અન્ય દેશમાં ક્યાંથી જ હોય; જે દેશમાં મોટા મોટા ઉદ્યોગધંધા, કારખાનાં, વ્યાપાર વગેરે કંઈ નહિ હોવાથી
કરીરૂપી સ્ત્રીને વરવાને લેકે એક પગે ખડા હોય છે અને હાથમાં પડેલી રૂપેરી બેડીને ખણખણ ધ્વનિ સાંભળી પોતાને ધન્ય માને છે, જે દેશમાં એક કરી જતાં બીજી મળવાને સાંસા પડે છે તે દેશના લોકોના સ્વાભિમાનની કલ્પના ઉચ્ચતર સ્થિતિમાં રહેલા રાષ્ટ્રના લેટા ની કલ્પનાથી ભિન્ન હોય એ તદ્દન સ્વાભાવિક જ છે. નીતિમત્તાના વૃક્ષને વિકાસ રાજકીય વાતાવરણને અનુસરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org