SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રનો અન્ય શાસ્ત્ર સાથે સંબંધ નીતિ અને રાજનીતિ સંરકૃતમાં બહુધા “નીતિ” શબ્દ “રાજનીતિ 'ના અર્થમાં યોજેલે હોય છે; તથાપિ “કાર્ય કર્યું, “અકાર્ય કર્યું, કર્તવ્ય કેવી રીતે ઠરાવવાં વગેરે પ્રશ્નોને ઊહાપોહ કરનારું જે શાસ્ત્ર તેને નીતિશાસ્ત્ર કહેવાને રિવાજ છે. નીતિ અને રાજનીતિનો સંબંધ નિકટ છે. લેકની અને રાજકર્તાની નીતિવિષયક કલ્પના અને વ્યવહારમાં દષ્ટિએ પડતા તેમના વતનને અનુરૂપ જ તેમની રાજનીતિ વિષયક કલ્પના અને વિષયક વર્તન હોય છે. જે માણસ હમેશના વ્યવહારમાં પિતાના પસીને બેધડક ફસાવે છે તેને રાજપ્રકરણી બાબતમાં અન્ય રાષ્ટ્રને ફસાવવામાં કંઈ જ વાંધો લાગશે નહિ. જેમ રાજનીતિ વ્યક્તવિષયક નીતિ પર આધાર રાખે છે, તેમજ રાજનીતિ પર વ્યક્તિનીતિ પણ આધાર રાખે છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. “યથા રાજા તથા પ્રજા” એ કથનમાં ઘણું જ સત્ય રહેલું છે. રાજા પ્રજાને જેવું શિક્ષણ આપશે તેવું જ જ્ઞાન પ્રજાને મળશે અને તે જ પ્રમાણે તેનું વર્તન પણ રહેશે. માતાપિતાનું વર્તન અને શિક્ષણ જેવું હોય તેવું જ બાળકનું સમજવું. એ જ ન્યાયે નાગરિકને જેવું શિક્ષણ મળે છે, જે વિચારની ગળથુથી શાળા અથવા અન્ય સંસ્થા દ્વારા આપવામાં આવે છે, તે પર જ ઘણું અંશે તેની નીતિમત્તા અવલંબે છે. એરિસ્ટોટલ પિતાના રાજકીય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy