________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા માટે છે. ઉપર ધાર્મિકતા એ પ્રકૃતિને ગુણ છે એવું પ્રતિપાદન કર્યું છે તે પરથી એમ સિદ્ધ નથી થતું કે, એ ગુરુની કઈ કઈને દેણગી આપી શકતો નથી માટે ધાર્મિક શિક્ષણ આપવાનું કારણ જ નથી. કારણ, કેટલાંક બાળકની સ્વાભાવિક પ્રવૃત્તિ ધર્મનિષ્ઠા તરફ હાઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે તેને શિક્ષણ મળે તે ધાર્મિકતાને અંકુર નષ્ટ થવાનો સંભવ હોય છે. આ અંકુરને સદુપદેશ, સચ્છીલ ગુરુનું પ્રત્યક્ષ ચારિત્ર, કેટલાક આચાર વિષે થોડેક આગ્રહ ઇત્યાદિનું સિંચન મળવાથી તેને હૃદયક્ષેત્રમાં સારે વિકાસ થાય છે. વિદ્યાર્થીને સ્વાભાવિકપણે જે તાત્વિક શંકા થાય તેનું નિરાકરણ કરવામાં આવે, હિતશત્રુએ તેના ધર્મ પર જે બેટાખરા આક્ષેપ કર્યા હોય તે તેની દૃષ્ટિએ આણવામાં આવે, ધર્માનિક પુરુષનાં ચારિત્ર તેની પાસે વંચાવાય અથવા તેમની કથા સંભળાવાય, તેની નજર સમક્ષ ધર્મપરાયણ ગુરુનાં મૂર્તિમંત ઉદાહરણ રહે, કેટલાક સાત્ત્વિક અને તે તે સમયના સર્વસાધારણ જનસમૂહને આવશ્યક જણાતા આચાર પાળવાની તેને ટેવ પાડવામાં આવે, અને તેને ગૃહશિક્ષણ સારું મળે, તે પછી ધર્મનિષ્ઠાના સ્વાભાવિક અંકુર સારી રીતે વિકાસ પામે અને તેનાં ઉત્તમ ફળ આવ્યા સિવાય રહે નહિ.
શરીરને અને આત્માને જે સંબંધ છે તે જ આચારને અને ધર્મતત્ત્વ છે. શરીર ગૌણ છે અને આત્મા પ્રધાન છે એ ખરે છે; પણ આત્મા શરીર પર ઘણા અંશે આધાર રાખે છે અને તેથી જ ધર્માતોનું શાબ્દિક વિવેચન, શાસ્ત્રગ્રંથોનું અવલોકન કિંવા તુલનાત્મક વિવરણ ઈત્યાદિથી ખરું –એટલે, રક્ત અને હાડમાંસમાં ઓતપ્રેત થનારું – શિક્ષણ અપાય એ સંભવિત નથી. વિશિષ્ટ આચાર વિષે આગ્રહ રાખવો એમ કહેતાં “ક આચાર” એ માટે વાદ ઉભવે છે. કેવળ નીતિશિક્ષણ આપવામાં આવે છે તે ઉપર કહ્યા પ્રમાણે ઉત્સાહત્ય, અસ્થિર અને રકૃતિવિરહિત હોય છે. ધર્મશિક્ષણ આપવા જતાં ‘આચાર’ને પ્રશ્ન ઊઠે છે. આચાર માટે આગ્રહ રાખવામાં ન આવે તે ધાર્મિક શિક્ષણ કેવળ શાબ્દિક સ્વરૂપનું બનવાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org