________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા
૫૭ ધર્મવિષયક વિદ્વત્તાથી થતી નથી, એટલું જ નહિ પણ વિદ્વત્તા કવચિત કુફલદાયક પણ થઈ શકે છે; કારણ વિદ્વત્તા તલવાર જેવી છે – તેના સારા નરસા ઉપયોગને આધાર આચરનારની બુદ્ધિ પર છે.
ધાર્મિક ઈતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરે વિદ્યાલયમાં શીખવવાથી માત્ર એક ફાયદો થવા જેવો છે. પ્રત્યેક ધર્મના દુશ્મન હોય છે જ. એ દુશ્મનો ધર્મમાંનાં ખરાખેટાં – કેટલાંક ખરાં અને કેટલાંક ખોટાં – દૂષણ વખત બેવખત જાહેર કરી કુમળાં બાળકનાં મનને સ્વધર્મ વિષે કલુષિત કરે છે. તે શત્રુનો ધર્મ નિર્દોષ નથી જ હોત; કેમકે ગમે ત્યાં જાવ પણ પાણી તેરા રંગ કે જીસમે મીલાવે વૈસા'. ચમત્કારની વાત એક જ ધર્મશાસ્ત્રમાં નથી. બધે સરખી જ સ્થિતિ છે; પણ શત્રુ સ્વદેવ છુપાવી રાખી પરદેવ બતાવવામાં અત્યંત દક્ષ અને કુશલ હોવાથી નાનાં બાળકોની દષ્ટિએ પોતાના જ ધર્મના દેષમાત્ર આવવાને સંભવ હોય છે. આવા પ્રસંગે પોતાના ધર્મના રક્ષણ માટે પરધર્મનું જ્ઞાન પણ છોકરાઓને આપવું ઇષ્ટ જણાય છે; કારણ ઘેર ઘેર માટીના ચૂલા હોય છે એ તત્ત્વ સમજાયા પછી તે સ્વધર્મના કે વિધર્મીઓના દોષ જોઈ એકદમ પરધર્મ તરફ દોડી જવું વાજબી ગણશે નહિ અથવા પિતાના ધર્મ વિષે ગમે તેવા ઉદ્દગાર વ્યક્ત કરશે નહિ. સ્વધર્મ પર થયેલા આરેપ ખોટા કેમ છે તે બાળકોને સમજાવવાની અતિ આવશ્યકતા છે. સ્વધર્મની સત્ય ઊણપ પણ સમજવાની જરૂર છે; પણ માતા પિતાના બાળકની ઊણપ જે પ્રકારે બતાવે છે તે જ પ્રકારે તે બતાવવી જોઈએ; કજાત સાવકી માતાની માફક નહિ.
માનાર પ્રથમ ધર્મ એ ન્યાય સ્વીકારી કેટલાક કહે છે કે વિદ્યાલય સાથે વિદ્યાર્થીગૃહ રાખી તેમાં ધાર્મિક આચાર પાળવા બાબત આગ્રહપૂર્વક ધર્મશિક્ષણ આપવું. પરંતુ આ માર્ગમાં અનેક વ્યાવહારિક અડચણો છે. એક તે વિદ્યાર્થીગૃહે સ્થાપવા ધન ક્યાંથી લાવવું? બીજું, અનેક ધર્મના, પંથના અને જાતના વિદ્યાર્થી હોય ત્યાં શું કરવું? ભિન્ન ધર્મન, પંથના અને જાતના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org